SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ઃ આધ્યાત્મિક નિબંધ સૂત્રાત્મક સિદ્ધાંતવચને તેમના મુખકમળમાંથી બહાર આવે છે અથવા જે ગૂઢ રહસ્ય પ્રગટ થાય છે, તે વચનની અપૂર્વતાથી તેને આત્મા ઘેરાઈ શાંત થાય છે, તે આનંદાનુભવને એ પ્રેમીભકત કિંમતી, અતિ મૂલ્યવાન ઝવેરાત જેમ હૈયાંની સુંવાળી પેટીમાં સંઘરી રાખે છે. કઈવેળા સમયની અનુકૂળતા થતાં આ પ્રભુપ્રેમી ભક્તને પ્રભુની દિનચર્યા જેવાને સુયોગ પ્રાપ્ત થાય છે. પ્રભુનાં મન, વચન ને કાયાની ચેષ્ટાઓ પાછળ જે રહસ્ય ગુપ્તપણે રહ્યાં છે, તેને બારીક અવલોકન અને તીણ નિરીક્ષણથી શોધી કાઢવાને ઉત્તમ લાભ તે મેળવે છે. કલ્યાણમૂતિ પ્રભુમાં પ્રેમ અને શ્રદ્ધા વિકસેલાં ન હોય તે ત્યાં સુધી આ કાર્યની સફળતા થવી કઠણ છે; એગ્ય દશા આવ્યું તેને હિતકારી લાભ મળે છે, અને ત્યારે જોયેલાં તથા અનુભવેલાં રહસ્યોને અમૂલ્ય ગણું હૃદયની પેટીમાં સાચવી રાખે છે, જેથી યોગ્ય અને અનુકૂળ સમયે પ્રેમ, શ્રદ્ધા ને અર્પણતાની વર્ધમાનતા ત્વરિત ગતિએ થવા અર્થે ઉપયોગમાં લઈ શકાય. કયારેક કેઈ સુભગ સમયે, પ્રેમનીરથી નીતરતાં હૈયાંવાળે પ્રભુને પ્રેમી ભક્ત પ્રભુ પાસે દર્શને આવતાં અતિ આનંદની લહેરી અનુભવે છે અને પ્રભુ તેને પરમાર્થ લાભ થવાનું છે એમ જાણીને તેને પ્રેમથી ભેટે છે. ભેટતાંની સાથે જ પ્રેમીભક્તની અંતવૃત્તિઓ તથા ભાવે કઈ આશ્ચર્યકારક રીતે ઉપશાંત થઈ જાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy