SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૦૫ “ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શુન્ય જ છે તે પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે, જ્ઞાની પાસ જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. ” (વચનામૃત ૨૬૩) જુઓ, અહીં શે બોધ કર્યો? કોનું માહાતમ્ય દર્શિત કર્યું? પ્રેમભક્તિનું કે જ્ઞાનનું? જ્ઞાની પાસેથી શું ઈચ્છવું ? તે કહ્યું કે ભક્તિ ઈચ્છવી. તેમની પાસેથી શાસ્ત્રજ્ઞાનની ઈચ્છા કરવા કરતાં તેમને બેધસ્વરૂપ સમજી તેમનામાં હદયથી પ્રેમ લાવી ભક્તિમય થવાની અને રહેવાની ઈચ્છા રાખવાથી તેનું પરમ ફળ મળે છે. શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટપણે રહ્યું છે તે જ્ઞાનનું પારમાર્થિક રહસ્ય તથા સિદ્ધાંતજ્ઞાનની મામિક બહુલતા જેના આત્મામાં પરિણામરૂપ થયાં હોય અને તેથી જેનું અંતરંગ ચારિત્ર તે જ્ઞાન અને બધાને અનુસરતું હોય તે પુરુષને બેધસ્વરૂપ કહેવાય. આ કારણથી બોધસ્વરૂપ જ્ઞાની પુરુષની ભક્તિનું પરમ ફળ કહ્યું છે. એકાંત જ્ઞાનવાદીઓએ શું આ વાત વિચારવા એગ્ય નથી ? ભક્તિનું અદભુત અને અપૂર્વ માહાસ્ય બતાવ્યા છતાં જ્ઞાનને મહિમા ઘટાડ્યો છે કે તેની ઉપેક્ષા કરી છે કે તેને નિષેધ કર્યો છે એમ લેશ પણ નથી. અને એમ જણાવ્યું કે પ્રેમરૂપ થયા વિના જ્ઞાન શૂન્ય જ છે; બધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy