SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ : અધ્યાત્મિક નિબંધો (૩) અણુતા અથવા આંજ્ઞાકિતપણું. એ ત્રણ શબ્દોના વિસ્તૃત વિવેચન સહિતના અર્થ અમારા લખેલ “ભક્તિમાર્ગનું રહસ્ય” પુસ્તકમાં આપવામાં આવેલ છે, પરંતુ અહીં તેની ઊંચામાં ઊંચી અને ટુંકામાં ટુંકી વ્યાખ્યા કરીએ છીએ કે પ્રેમ એટલે હૃદયની સોંપણી, શ્રદ્વા એટલે બુદ્ધિની ઑપણી અને અર્પણતા એટલે ઈચ્છાની સોંપણી. એ ત્રણને સરવાળે એટલે અમને સંપૂર્ણ ત્યાગ. અહંતા-મમતાને સંપૂર્ણ ત્યાગ એટલે જ નિજાત્માની પ્રકૃષ્ટ ? ગુદ્ધ, સહજ, સ્વાભાવિક, અવ્યાબાધ સ્થિતિનું પ્રાકટય. પરમાર્થના પ્રેમી ભક્તજનને શું કરવાનું છે તેને બેધ ઉપરની વ્યાખ્યા સમજવાથી મળી જાય છે અને કેવી રીતે કરવું તે સંબંધનું માર્ગદર્શન તેની યોગ્યતાનુસાર તેની જ્ઞાની ભગવંત શ્રીગુરુ પાસેથી મળતું રહે છે. તે ઉપરાંત ગુરુકૃપાના બળ થકી ઉભવતી અંતરપ્રેરણાથી પણ મળે છે. સાચા પ્રભુપ્રેમી પરમાર્થ સાધક પુરુષને પ્રત્યક્ષ શ્રીગુરુના સાથનું બળ હોવાથી નિરાશ પામવાનું કોઈ કારણ ઉત્પન્ન થતું નથી. જ્ઞાની પુરુષે પ્રસંગોપાત ઉચ્ચારેલાં માર્ગદશકરૂપ સુધામય વચને વારંવાર વાળવાથી પ્રભુભક્તના હૃદયમાં કોતરાઈ ગયાં હોય છે. તે વચનને ભાવાશય તેના આત્માને સ્પર્શી ગયેલ હોવાથી તેનામાં પ્રભુપ્રેમની માત્રા સહજ વધે તે સમજાય તેવું છે. તે વચનો છે – શ્રીમદ રાજચંદ્રજીનાં વચન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy