SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા = ૨૦૧ રાજચંદ્રજી ઉપરનાં વચનો પ્રકાશે છે, ત્યાં કહે છે કે જે નિરંજન અને વિદેહરૂપે સિદ્ધ પરમાત્મા થયા છે, તેવા પરોક્ષ સિદ્ધ ભગવંતના ચિંતનથી જીવને પ્રેમની લય આવવી વિકટ છે અથવા આવી શકતી નથી. તેથી જેને પરમાત્માને સાક્ષાત્કાર થયે છે રોકે છે જેને અમૃતસ્વરૂપ આમા શુદ્ધ પરમાત્મારૂપ થયે છે એ દેહધારી, સદેહે વિદ્યમાન, સજીવન મૂર્તિ પરમાત્મા તે પરાભક્તિનું, પ્રેમની એકધારી લયનું, એકતારરૂપ સ્નેહનું પરમ કારણ છે. પ્રેમના સ્વરૂપને શુદ્ધ કરતાં કરતાં તેને પૂર્ણતાની ટોચ પર પહોંચાડવામાં પરમાત્મારૂપ જ્ઞાની પુરુષ ઉત્તમ નિમિત્ત છે. તે જ્ઞાની પુરુષના વિચાર, વાણું અને વર્તનમાં સહજ ઐક્યતા હોય છે, આભિન્નપણું હોય છે, અર્થાત્ વિચારને અનુસરતી વાણી અને વાણીને અનુસરતું વચન હે.ય છે, તેવી સ્થિતિ તેમના અંતર ચારિત્રને લક્ષ કરાવે છે, ત્યાં તેમના હૃદયમાં વિરાજમાન આત્મા પરમાત્મા રૂપ થયા અર્થાત્ આત્મા પરમાત્માને અક્ય ભાવ થયો છે, બન્નેની એકતારૂપ રિથતિ થઈ છે અને એ જ પરાભક્તિ છે, આથી જ્ઞાની પુરુષ એ પરમાત્મા જ છે અને એવી દેહધારી દિવ્યમૂર્તિ ભક્તિ કરવા યોગ્ય છે. તેમનામાં જ પરમ પ્રેમ લાવી પ્રેમની સાધનામાં પૂર્ણતા લાવવાની છે. આમ અહીં પ્રેમ બિંદુઓની ઉત્તરોત્તર વર્ધમાનતા થવા માટે સક્ષેપે નિર્દેશ કર્યો છે અને પરાભક્તિની લય લગાડી અખંડ પ્રેમ લાવી અકળ્યતા સાધવાનો ઉપદેશ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy