SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ : આધ્યાત્મિક નિબ છે જોયેલું હોય તેની અસર ઊંડી અને ઘેરી હોય છે અને તેની વિસ્મૃતિ જલદીથી થઈ શકતી નથી. સાંભળેલું હોય તેનું બળ ઓછું અને આછું હોય છે ને તે કારણે તે મૃતિમાંથી શીઘ્ર ભૂંસાઈ જાય છે, જેમકે કઈ ભયાનક અકસ્માતમાં મનુનો વિચિત્ર પ્રકારે કચ્ચરઘાણ નીકળી ગયાની ઘટના સાંભળી હોય અથવા વાંચી હોય અને તેની જે અસર મન ઉપર અંકિત થાય તે કરતાં અનેકગણુ બળવતી અસર તે જ કરુણ ઘટના નજરોનજર નિહાળવાથી થાય છે. કોઈ માણસને ગુન્હા બદલ ફાંસીની સજા કરવામાં આવી હેય ને તેના નિશ્ચિત કરેલા સમયે તેને ફાંસી દીધાની વાત સાંભળીએ અથવા વાંચીએ તે તેને પ્રત્યાઘાત ફાંસી દીધાને પ્રસંગ નજરે જે હેય તેના કરતાં ઘણે નબળો હોય છે. કેઈ જ્ઞાની પુરુષના ચરિત્રમાં વર્ણિત કરેલ ઊર્વ આત્મદશાસૂચક વચનો અથવા આશ્ચર્ય ઉપજાવે એવા પ્રસંગે વાંચતાં કે સાંભળતાં જે પ્રેમભાવ કે બહુમાનભાવ આવે તેના કરતાં તે મોટા પુરુષના પ્રત્યક્ષ સમાગમગે તે જ ઘટનાઓની જાણકારીની અસર ઘણું ગાઢ હોય છે; પ્રેમભાવ તથા અહોભાવનું પ્રાબલ્ય અધિકતર બળવાન હોય છે અને પ્રત્યેક ઉપકારી સમાગમ વખતે બે ઉત્તમ ભાવેનું વર્ધમાનપણું થતું જ રહે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ સંબંધે અસરની જે ભિન્નતા છે તે ઉપરનાં વચનોથી જણાવ્યું. તે જ સિદ્ધાંત પ્રતિપાદિત કરતાં પરમકૃપાળુ શ્રીમદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy