SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ : આધ્યાત્મિક નિબંધો તેમનાં પરમોપકારી અનુપમ અમૃતવચનના શ્રવણથી તેનામાં અચળ શ્રદ્ધાનું તેજ પથરાવા ઉપરાંત પ્રેમઝરણનું નિર્મળ વહેણ અધિક વેગથી વહેવા લાગે છે. એ પવિત્ર નિર્મળ પ્રેમ અને એ અવિચળ શ્રદ્ધા, તે બેની સુંદર જેડી કયું કાર્ય સાધી ન શકે? એ બે શક્તિના અદ્ધિતીય સામર્થ્યથી સર્વ સિદ્ધિ હસ્તગત થાય છે. ઉપર કહ્યો તે સિદ્ધાંતના સમર્થન માટે પરમ આત્મજ્ઞ, પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના અપૂર્વ વચને અહી ઉતારીએ છીએ. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યફ પ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી; અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવે છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ તેથી અમને થઈ હતી. સર્વ શાસ્ત્રને બેધલક્ષ જેવા જતાં એ જ છે અને જે કંઈ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માગને આરાધવે.” (પત્રાંક ૧૯૪) સદેહે વિદ્યમાન અને પ્રત્યક્ષ એવા જ્ઞાની પુરુષ દર્શાવવા માટે અહીં વર્તમાનકાળને પ્રયોગ કરી “વિચરે છે” શબ્દ જણાવ્યા તે સૂચક છે. જેમનાં મન, વચન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy