SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા : ૧૮૭ ઊગી નીકળે છે અને શીઘતાએ વિકસે છે, જાણે કેમ પ્રેમ મળવાથી પોતાની પ્રસન્નતા દર્શાવતાં ન હોય! જે ઘરમાં પ્રેમની ઉષ્મા નથી, પ્રેમનું અજવાળું નથી અથવા પ્રેમની કેમળ અને સુંવાળી લાગણી નથી, તે ઘરમાં બાળી નાખે એવી શુષ્કતા છે, અંધારૂં છે અથવા વિખવાદ, ઝગડા ટંટાની અવારનવાર થતી રમઝટ છે. આથી સમજાય તેવું છે કે પ્રેમ એ એક અદ્વિતીય વશીકરણ છે; તે સર્વ વિરોધી તને વહેલે અથવા મોડે ઉપશાંત કરે છે, આધીન કરે છે. અરે, એટલું જ નહીં પણ કેવળ નિર્વિકાર પરબ્રહ્મ જેવા પરમ આત્મા પ્રેમને વશ થઈ પ્રેમની દેરીથી બંધાય છે. ષથી કે વેરથી કોઈને જીતી શકાતું નથી, જીતવા માટે એક પ્રેમ જ અમેઘ શસ્ત્ર છે. આથી જ મુખ્યતાઓ પ્રત્યેક માનવી પ્રેમને પામવા માટે ને પ્રેમના સુખરૂપ આલિંગનના અનુભવ માટે હરઘડી ઝૂર્યા કરતા હોય છે. તેના અંતરમાં પ્રેમ અદ્દભુત માહાએ જૂનાવિક અશે સમજાયું હોય છે. સુખ, સંતોષ અને શાંતિ માટે તેની ઉપયોગીતા તેના લક્ષમાં આવી હોય છે. પ્રેમની વૃદ્ધિ થાય તે અર્થે તેને પ્રયન પણ તેને સૂઝે તેમ શક્તિ અનુસાર તે કરતે રહે છે. વિપરીત સંજોગોને લીધે ઉદ્દભવ પામતી અનેક મુશ્કેલીઓ અને મુસિબતેનાં આક્રમણની સામે પડવા અર્થાત્ અન્ય દ્રષિત લાગણીઓને દબાવવા તે તત્પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy