SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ઃ આધ્યાત્મિક નિબંધ ઉચ્ચતમ આદર્શને આંબવા માટે સંસાર એક મહાન શાળા છે, વળી એ પણ જણાશે કે કઈ એક ભવમાં કરેલે પ્રેમ નિષ્ફળ જતો નથી. પ્રેમને પ્રેમનું ઉચિત નિમિત્ત મળતાં પ્રેમનું અનુસંધાન સ્વયં થઈ જાય છે અને માત્રામાં જ્યાંથી અટકવું થયું હોય ત્યાંથી આગળ વધી વિકાસ થયા કરે છે. હા, એ ખરું છે કે પ્રેમનું બળ જ્યાં ન્યૂન હોય ત્યાં વિકાસ પણ ન્યૂન, કેમ કે ત્યાં અન્ય અનુપકારી પરિબળે કામ કરતાં હાઈ પ્રેમને દબાવે છે. તેમાંથી બેધ એ મળે છે કે સામે ઘૂરકતાં પરિબળાની સામે પડી પ્રેમને જ વિશેષ વિશેષ આશ્રય કરે. આટલું તે અવશ્ય દેખાય છે અને તેથી અવિસંવાદપણે કહી શકાય કે આ જગતમાં સર્વ પ્રાણી પ્રેમનાં ભૂખ્યાં છે. પશુ, પક્ષી વગેરે પ્રાણીઓ પ્રેમને જ ઈચ્છે છે. પ્રેમના અલૌકિક અમૃતમય સ્વરૂપથી અપરિચિત એવું નાનું બાળક પણ વહાલને બરાબર ઓળખે છે અને વહાલ કરનાર પ્રત્યે આકર્ષાય છે; હેત-પ્રીત ન દેખાય ત્યાંથી પાછું વળે છે, અને ફરી નજર કરવા નાખુશ રહે છે. વળી એ પ્રસિદ્ધ વાત છે કે જેને સંજ્ઞા નથી એટલે મગજ ( Brain ) નથી અને એક માત્ર રપર્શેન્દ્રિય છે એવા વનસ્પતિના છોડને જે કેઈ મનુષ્ય પ્રેમ આપી સંભાળ લે, કાળજી કરે અને ઉછેરે છે તે જલદીથી ઉત્તમ રીતે ખીલે છે તે છેડમાં હસતાં, રમતાં મનહર ફૂલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy