SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા : ૧૭૮ તે સમતા સાથે ઉદ્દભવ પામતો બીજે ગુણ છે ઉદારતા. ઉદારતા એટલે હદયની વિશાળતા. આ ઉદારતા બે પ્રકારે કાર્યશીલ થાય છે. એક, પિતાની પાસે જે હોય તે વિના સંકોચે બીજાને વ્યવહારિક તેમ પરમાર્થિક હિતને અર્થે આપવાની તત્પરતા અને બીજા પ્રકારમાં દેષ કરનાર પ્રત્યે ઉદારભાવ, માફીભાવ, દયાભાવ અને કલ્યાણને ભાવ. વિચારતાં જરૂર જણાશે કે આવા ભાવની પ્રાપ્તિ હેવી તેમ તેમાં રમણતા હોવી બહુ કઠણ છે. દિલમાં લેશ પણ ડંખ વગર અથવા ખેદના અંશ વગર ગમે તેવા સંજોગોમાં પણ ઉદારતાના ઉદ્દાત્તભાવમાં રમવું તે કેટલું અઘરું છે તે તેના અભ્યાસી જ અનુભવથી જાણી શકે. એ ગુણે આવ્યા પછી પ્રભુ પ્રત્યેને સાચે અને પ્રબળ અર્પણુતાભાવ આવીને શોભે છે. પૂર્વની અવસ્થા ઓમાં અપશુતા કોઈ ને કોઈ પ્રકારે અવશ્ય હોય છે, પરંતુ તેનો ઈષ્ટ વિકાસ થઈ તેનું સાચું યથાર્થ સ્વરૂપ અહી ઝળહળતું જોવા મળે છે. અનેક લબ્ધિઓ અને સિદ્ધિઓને આપનાર આવી સમર્થતાવાળી અર્પણતા વિના પ્રભુ સાથે એકરૂપતા થતી નથી, ભેદને નાશ થતું નથી; અહીં પ્રેમ, પ્રેમી અને પ્રેમપાત્ર એક રૂપે થઈ જાય છે, આ આપણુતામાં નિરાસક્તિ, નિ સ્પૃહતા અને નિર્ભયતા સમાય છે, એટલે તે ગુણે અર્પણતામાં પ્રભાવથી બહાર આવી પ્રગટ થાય છે. જેટલું અપર્ણતાનું પ્રભુત્વ દપતું હોય, તેટલું આસક્તિ, પૃહા અને ભયનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy