SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ : આધ્યાત્મિક નિર્થી ધા લઘુત્ર થાય જ થાય. પ્રભુપ્રેમની મુસાફીમાં આટલી દે પહાંચી એટલે પ્રેમવિકાસની પ્રથમ કક્ષાની પૂર્ણતા થતાં આ ગુણે પ્રગટથા બાદ જે અંતરદશા છે તે પવિત્ર અને નિર્મળ જ છે; ત્યાં સંસાર છે છતાં નથી, ત્યાં ભાગ છે છતાં તે ભાગી નથી, ત્યાં ગતિ-આગતિને વિકલ્પ નથી. તે આશ્ચર્યની પ્રતિમારૂપ પ્રતિભાશાળી દશા છે, અપૂર્વનું અપૂર્વ મિલન અને સ`વેદન નિવેદનથી પર છે. પ્રેમની પૂર્ણતાની દશામાં આત્મામાં નિરહેતા અને નિમ મતા પ્રકાશે છે; આત્મા પરમ પવિત્ર, નિળ અને શુદ્ધ થાય છે. તે દશા એટલે પરમ પરમ શાંતિ, પરમ પરમ શાંતતા, પરમ પરમ શીતળતા, પરમ પરમ સૌનતા, કલ્પનામાં ન આવે એવી ત્યાં અકલ્પનીય સ્થિતિ છે, શબ્દોમાં યથાપણું ન ઉતારી શકાય એવી ત્યાં વિસ્મય કારક અવસ્થા છે. ટુકામાં કહીએ તે ત્યાં માત્ર મનહુદ સ'પૂર્ણ શાંતિનુ' અવિભક્ત સામ્રાજ્ય છે, સ્વરાજ્ય છે. આમ પ્રેમ ઉત્કૃષ્ટતાની ટોચે પહોંચતાં માન થાય છે, શાંત થાય છે, પ્રશાંત થાય છે. અહા, અઢી સક્ષરવાળા પ્રેમ શબ્દનુ અલૌકિક સામર્થ્ય તેા જીએ ! કેટલુ· અસીમ અને બળવાન છે! પ્રભુપ્રેમમાં લય લગાડતાં અને તેમાં જ લીન થતાં પાતે પ્રભુ થાય છે. તે પ્રભુને પ્રેમમૂર્તિ કહે, જ્ઞાનમૂર્તિ કહેા, આનંદમૂર્તિ કડા, શાંતમૂર્તિ કહે, ચૈતન્યમૂતિ કહેા કે પ્રકાશમૂર્તિ કહે; અથવા ગમે તે કહા, મધુ' એક જ છે, માત્ર જુદા જુદા ભાવે વર્ણન છે. પ્રભુના અનંત ગુણ્ણા હેાઈ અનંત નામે તેને કહી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy