SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ : આધ્યાત્મિક નિબધા માક્ષના સર્વ સુખના અધિકારી થવા માટે આ ગુણને પ્રધાનતા આપી છે. આ સ્થળે આટલુ સ્મૃતિમાં રાખવું આવશ્યક છે કે પૂર્વે જે જે ગુણેાના જેટલા 'શા પ્રગટથા હોય તે ખીજા ગુણાની પ્રગટતાની સાથે સાથે વધુ માન થતા હોય છે, એટલે કે સવ ઉત્પન્ન ગુણ્ણાના વિકાસ વૃદ્ધિગત થતે રહે છે. પ્રભુપ્રેમની યાત્રામાં આગળ વધતાં ઉપર જણાવ્યા પ્રમાણેના આઠ ગુણના ઘણા અંશે બહાર પ્રગટરૂપ થયા પછી વિશેષ ઉપકારી અને ફળદાયી ગુણાના ઉઘાડ શરૂ થાય છે. તેમાં પ્રથમ નિઃસ્વાર્થતા ને ધૈયતા આવે છે. સસાર, દૈહ અને ભાગ પ્રત્યેના માહ અત્યંત ઘટી જાય છે વા નહિવત્ થઈ જાય છે, વૈરાગ્ય અને ઉપશમ વધે છે; આત્મવિશુદ્ધિની ઝંખના શેર પકડે છે; નિઃસ્વાર્થ. ભાવના ઉદય આવે છે અને તેને લઈને ધીરજના ગુણ આત્મકલ્યાણને અર્થે સાચાં રૂપે દેખા દે છે. સ`સારનાં અકળાવતાં નિમિત્તોની હાજરી વખતે અથવા કસાટી પ્રસગેાની વેળાએ ધીરજ અવગાહવી સુગમ અને છે. તેના અભ્યાસથી સમતા એટલે સમભાવે રહેવાની શક્તિ આવે છે. સમતા એટલે ચિત્તપરિણામની સ્થિરતા અને એ સ્થિરતાની પ્રાપ્તિનું સુગમ અને સરળ કારણ છે પ્રભુપ્રેમ, જો અંદરમાં પ્રભુપ્રેમનુ' નિળ જળ વહેતુ હશે તે તેના ફળરૂપે પરિણામની સ્થિરતાનું ખળ વધશે જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy