SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ આધ્યાત્મિક નિબંધ પશુસવરૂપ પુરુષ માટે હૃદયમાં પવિત્ર પ્રેમનું બીજાપણ થયા પછી તે બીજ નિમિત્ત અને કાળની અનુકૂળતા પામતાં પુરુષાર્થ અનુસાર પાંગરે છે, ખીલે છે. પ્રેમનું કેન્દ્રિતપણું થતાં, તેનું ઘટ્ટપણું થતાં અને તેનું ઉત્તરોત્તર દીર્ધકાળ પર્યત ટકાઉપણું થતાં પ્રેમ અનેક ઉત્તમ ગુણોને જન્મ આપી પ્રેમીને ધન્ય કરે છે, અમર કરે છે. તેમાં મુખ્ય ગુણેના પ્રાકટયને પ્રકાર આ પ્રમાણે સમજાય છે. પ્રેમ અને દ્વેષ પ્રતિસ્પધી છે, વિરોધી સ્વભાવવાળા છે. બંને વચ્ચે સહજ અણબનાવ છે. પ્રેમ હોય તો શ્રેષને જવું પડે છે. શ્રેષમાં પ્રથમ અસૂયા રજા લે છે અર્થાત અનસૂયા ગુણ ઉઘડે છે, અને તેની સાથે સાથે જોડકાંરૂપે સહિષ્ણુતા સાથ આપવા માટે હાજર થાય છે. તે બે ગુણેનાં જન્મ અને વિકાસના પરિણામે એક નવા જોડકાંની ઉત્પત્તિ થાય છે; તે છે અષબુદ્ધિ તથા ગુણગ્રાહકતા. અસૂયા છે ત્યાં સુધી ચિત્તમાં દોષબુદ્ધિનું સ્થાન રહે છે અને અસહિષ્ણુતા અંધ હોઈ ગુણનું દર્શન કરવા અસમર્થ છે. તે બને દોષના ક્ષીણપણામાં ઉપર કહ્યા તે ગુણોનું જોડકું ઉપસીને બહાર આવી દશ્યરૂપ થાય છે. આ ચાર ગુણેના સમગ્ર બળથી હદય કમળ થતાં આદ્રતા એટલે કરુણ તથા માવતા એટલે નમ્રતા, એ ગુણે હસતાં હસતાં બહાર આવે છે. પ્રભુ પ્રત્યેના પ્રેમના અભાવે દુ:ખે સહન કરનારા મનુષ્ય સંબંધે કરુણા આવે છે, કરુણાથી હૃદય ભીંજાય છે અને સર્વ સુખી થાઓ એવી ઉજજવળ ભાવના રહે છે. વળી પ્રભુ પ્રત્યેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy