SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા : ૧૭* કષા, દેશે અને દૂષણેના દીર્ઘ સ્થાયી કચરાને બાળી. નાખે છે અને અંતઃકરણને સાફ કરે છે. જ્યાં વિયોગમાં સંગની તીવ્ર ઈચ્છા છે ત્યાં પ્રેમનું સ્વરૂપ સ્વચ્છ છે. અને જ્યાં પ્રેમનું સ્વરૂપ સ્વચ્છ છે, ત્યાં સુખ છે, સંતોષ છે, આનંદ છે, શાંતિ છે. એટલા માટે જ ઉપમાઓથી કહ્યું છે કે હૃદયમાં પ્રેમસ્વરૂપ પુરૂષ માટે, પ્રભુસ્વરૂપ પુરૂષ માટે પ્રેમદીપક પ્રગટાવે, જેથી તે દીપકના અજવાળાના આશ્રયથી પ્રભુનાં પરમ પાવનકારી ચરણે સુધી સુગમતા એ પ્રસ્થાન કરી શકાય. દિલમાં એ પ્રેમયજ્ઞ શરૂ કરે કે જેની વેદી પર દેહ, ભેગ અને સંસાર સંબંધી સર્વ કામનાઓ તથા ઈચ્છાઓની આહૂતિ દઈ શકાય; અંતરના અંતઃ સ્થળમાં એવો દેદીપ્યમાન પ્રેમસૂર્ય પ્રકાશિત કરો કે જેનાં ઉષ્ણ કિરણે મન, વચન અને કાયાના સ્વામીત્વના ભાવને બાળી નાખે અને તેના તેજ પૂર્ણ પ્રકાશથી અલૌકિક ચેતન્યમૂર્તિના દર્શન કરી શકાય; હૈયામાં એવા પ્રેમમંદિરનું સ્થાપન કરો, તે પવિત્ર મંદિરમાં એવી અવિચળ શ્રદ્ધાનું કમલાસન બનાવે તથા સુંદર ભાવનાઓની સૌરભથી તેને એવું મઘમઘિત કરે કે જેથી તે પવિત્ર મંદિરના આસન પર પ્રેમમૂર્તિ સર્વશક્તિમાન પ્રભુ સર્વથા વિરાજિત રહે અને તે પ્રભુજીનાં દર્શનથી ભેદભાવને છેદ થઈ તેમની સાથે એકરૂપતાને અત્યુત્તમ અને આનંદપૂર્ણ અનુભવ થાય; હદયમાં પ્રેમસાગરને એ સમાવી દે કે જેમાં કદી ઓટ આવે નહીં તેમ ભરતીના ઉછાળા ઉપશમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy