SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ : આધ્યાત્મિક નિબંધો અનંતાનંત કિરણો પણ સમૂહરૂપે એકત્રિત થઈ એક સૂફમાતિસૂક્ષમ, અગમ અગોચરરૂપે રહી શકે છે. એકમાં અનંત અને અનંતમાં એક એવું તેનું આશ્ચર્યકારક સ્વરૂ૫ વર્ણનાતીત છે. એવાં અલૌકિક પ્રેમતત્ત્વ સંબંધે મહાન ચિંતકોએ ચિંતન કર્યા છે, સમર્થ વિદ્વાનોએ બુદ્ધિપૂર્વકના વિચારે કર્યા છે, પડેતેએ પોતાના પાંડિત્યને શ્રમપૂર્વક ઉપયોગ કર્યો છે, મોટા ફિલસૂફેએ તકની ઊંડી ગુફામાં ઉતરી તવપ્રકાશ પાથરવા યત્ન કર્યા છે; ઊર્મિશીલ રસિક કવિઓએ પર્વતના શિખર પરથી જળઝરણું વહે તેમ દિલમાંથી વહેતા આકર્ષક શબ્દોથી અલંકૃત પંક્તિએ દ્વારા ગીત સંગીત ર્યા છે; અનુભવી ભક્તજનો એ પ્રેમનું સ્વરૂપ અનુભવગમ્ય થયું તે પ્રકારે દર્શાવવા અતિ સ્તુત્ય પ્રયાસો કર્યા છે, ઠેરઠેર પોતાને અનુભવ પ્રસાદ બીજાઓ હર્ષથી આસ્વાદી શકે તે હેતુએ તથા પ્રેમસ્વરૂપની એાળખાણ કરાવવાના ઉચ્ચ ઉદ્દેશથી પ્રેમને અનેક ઉપમાઓથી નવાજવામાં આવેલ છે. તે સર્વ ઉપમાઓ ઉપર વિસ્તૃત વિવેચન કરી લખવું અનુચિત લાગે છે, તે પણ કેટલીક ઉપમાઓ સંબંધે વિચાર કરે ઠીક જણાય છે. પ્રેમ એ આત્માની અદ્વિતીય પ્રસાદી છે, પુરુષને અનુપમ અનુગ્રહ છે, અંતરની અલૌકિક પ્રેરણા છે, સ્વસ્વરૂપને પરમેશ્વ, નિર્મળ અને નિર્ભેળ ગુણ છે, સર્વ લાગણીઓમાં સર્વથી શ્રેષ્ઠ, નિર્દોષ અને નિઃસ્વાર્થ લાગણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy