SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જ ઉપદેશ છે કે આત્માનુભૂતિથી માંડી પૂર્ણ સ્વરૂપની પૂર્ણતા પામવા માટેની અદ્વિતીય ચાવી છે પ્રેમ, કઈ સદેહે વિદ્યમાન અથવા સજીવનમૂર્તિ એવા ભગવાનરૂપ સત્પષમાં અચળ પ્રેમ અને તે પ્રેમને પરમાર્થે સ્વાત્મા પ્રત્યેના પ્રેમ તરીકે ગણવામાં આવ્યું છે. આ જગતને વિષે પ્રેમ એ કઈ અદ્ભુત અને દિવ્ય તત્ત્વ છે અને જીવને પિતાને જ આદર્શ, નિર્મળ અને નિઃસ્પૃહ ગુણ છે. એ તત્ત્વના સત્ય સ્વરૂપની ઊંડી અને તલસ્પર્શી વિચારણાથી જે ઝાંખી થઈ, જે યથાગ્ય સમજણ આવી અને જે હૃદયના સ્વચ્છ પટ પર પ્રતિબિંબિત થઈ, તેને શબ્દો દ્વારા પ્રસ્તુત નિબંધમાં ઉતારવા યત્ન કરવામાં આવ્યા છે, તેના વાંચનથી સત્ જિજ્ઞાસુઓનાં હૃદયમાં પ્રભુપ્રેમની મીઠી બંસી બજ્યા કરે અને એ જ પ્રેમપિયૂષની સરવાણી અવિરતપણે પ્રવહતી રહે એ અમારી અભિલાષા છે. આ સાત નિબંધેના સંગ્રહરૂપ “ આધ્યાત્મિક નિબંધે” નામને આ લઘુ ગ્રંથ ધર્મપ્રેમી અને સત્ જિજ્ઞાસુઓનાં કરકમળમાં મૂકતાં અમને અત્યંત આનંદ થાય છે. આ પુસ્તકના મુફ રીડીંગનું સમગ્ર કામ સાધના મુદ્રણાલયવાળા શ્રી ગિરધરભાઈ શાહે ખૂબ ઝીણવટભરી કાળજીથી અને અંતરને સાચા ઉલ્લાસથી કરેલ છે તે માટે તથા આખુંય પુસ્તક છાપીને સમયસર તૈયાર કરી આપવા માટે અમે આ સ્થળે તેમને ખૂબ આભાર માની સંતેષ લઈએ છીએ પ્રેમમૂર્તિ, કલ્યાણમૂર્તિ કરુણામૂર્તિ, ચૈતન્યમૂર્તિ સપુરૂષનું ગબળ જગતનું કલ્યાણ કરે. ૩૪, મોરબી હાઉસ ગોઆ સ્ટ્રીટ, ભાગીલાલ ગિ. શેઠ બઈ-૪૦૦ ૦૦૧ તા. ૫-૩-૧૯૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy