SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો નિબંધ છે “આત્માનુભૂતિ”, એટલે આત્માને અનુભવ. સ્વભાવથી આત્મા જ્ઞાન-દર્શન-ચારિત્રમય છે, અટલ અનુભવસ્વરૂપ છે, શુદ્ધ છે, અસંગ છે, જન્મ–જરા-મરણ રહિત છે, એમ જ્ઞાની પુરૂષના અવલંબને જાણવું તે જ્ઞાન, તેની સત્યતાને સ્વીકાર કરી માનવું તે દર્શન (શ્રદ્ધા) અને જેનું જેવું જ્ઞાન કર્યું છે તથા દર્શન કર્યું છે, તેને તે રૂપે અનુભવ કરે તે ચારિત્ર અથવા અનુ ભવદશા. આ અનુભવ સર્વ કાળે, સર્વ ક્ષેત્રે સંજ્ઞીપંચેન્દ્રિયપણું વાળી ચારેગતિમાં, ક્ષત્રિયાદિ સર્વ કુળમાં એક સરખે છે; જૈન, વેદાંત, ખ્રિસ્તી આદિ સર્વ દર્શનેની અપેક્ષાએ સમાન છે, કેમકે ચૈતન્યાત્મા સર્વત્ર સર્વથા એક સ્વભાવવાળે છે. એ અદ્વિતીય અને અલૌકિક અનુભવને પામવા માટે જ્ઞાનમાર્ગ, એગમાર્ગ, ક્રિયામા, ભક્તિમાર્ગ કહ્યા છે. તેમાં ભક્તિમાર્ગને, પ્રેમ-શ્રદ્ધા-અર્પણતારૂપ માર્ગને સર્વોપરી માર્ગ ગણવામાં આવ્યું છે, કારણ કે તે અબુધ અને અશક્તને પણ સહેલાઈથી પ્રાપ્ત થાય એ સરળ, સુગમ અને સ્વચ્છ માગે છે. આ વિષય સંબંધી વિશેષ સમજતી અમારાં “ભક્તિમાર્ગનું રહસ્ય” પુસ્તકમાંથી મળી શકશે. આ નિબંધમાં જે પૂર્ણ છે, જે પરમ શુદ્ધ છે અને જે પરમ ચૈતન્ય. સ્વરૂપ છે એ આત્મા તર્કથી કે બુદ્ધિથી, તપથી કે શાસ્ત્રાવ્યાસથી પ્રાપ્ત થતું નથી એમ બતાવીને તેની અનુભૂતિ થવા અર્થે આશ્રય કરવા ચોગ્ય અને મન, વચન, કાયાની એકાગ્રતાથી આરાધવા ગ્ય જે નિમિત્તો છે તેનું નિરૂપણ કરવામાં આવેલ છે. તથા અંતમાં આત્માનુભૂતિ વેળાએ શું હોય, કેવું હોય? તે વાણી ધર્મ કહી શકાય તે રીતે કહેવામાં આવ્યું છે. જે જ્ઞાન, જે તત્ત્વ, જે નિર્વિકલ૫ ચૈતન્યતા છે, તે માત્ર અનુભવ નેચર હેવાથી કેવી રીતે સ્થૂળ શબ્દથી યથાર્થતાએ વર્ણિત થઈ શકે? હવે આપણે “પ્રેમ અને પૂર્ણતા” નામના અંતિમ નિબંધ પ્રત્યે વળીએ. સર્વ જ્ઞાની પુરુષને એક જ અભિપ્રાય અને એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy