SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ : આધ્યાત્મિક નિબંધ અને કાર્યશીલ થઈ સંબંધિત મનુષ્યગતિના જીવને હેરાન કરે છે તથા વિવિધ પ્રકારનાં દુઃખ આપે છે. શરીરમાં પ્રવેશ કરી અસ્થિરતા ઉપજાવી અકળાવે છે; ક્યારેક વિના કારણ અટ્ટહાસ્ય કરાવે છે તે ક્યારેક રુદન કરાવે છે. કેઈ વખત આહાર કરવામાં અંતરાય નાખે છે તે કોઈ વખત પહેરવા ઓઢવામાં વિદન લાવે છે. કોઈ વેળા વિકૃવેલ ભયાનક દેહની રચના કરી બહીવડાવે છે ; તો કઈ વેળા ભયાકુળ બનાવી નિદ્રા છીનવી લે છે. ક્યારેક શરીર પર પ્રહાર કરી સતાવે છે તે કયારેક રાતના પલંગને ઊંચે કરી નીચે ભય પર ગબડાવે છે. આમ અનેક પ્રકારે અણના અશુભ ઉદયાનુસાર દેવ અથવા દેવી ઋણાનુબંધી મનુષ્ય સાથે વના કરી તેને પરેશાન કરે છે. ઋણને ઉદય પૂરે થતાં સુધી આમ થયા કરે છે. આ પ્રકારોને વ્યવહારમાં ઝેડ, વળગાડ કહે છે. દેવગતિના જીવો સાથેના ઋણાનુબંધના ઉદયની સ્થિતિ, અવધિ વધુમાં વધુ સિત્તેર વર્ષ સુધીની હોય છે. વ્યવહારમાં સાંભળવા મળે છે કે આને શક્ય નડે છે કે ભેજાઈ નડે છે, દેરાણુ નડે છે કે જેઠાણી નડે છે, નણંદ નડે છે કે સાસુ નડે છે, ભાભી નડે છે કે કાકી નડે છે; પણ એ બધા ઋણાનુબંધના અશુભ ઉદયે છે. ઘણીવાર કહેવામાં આવે છે કે અમરેલી શકય કરતાં જીવતી શોક્ય સારી, ઈત્યાદિ, પરંતુ એ લેશ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy