SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ : આધ્યાત્મિક નિબંધ પુરુષાર્થ થકી પ્રથમ જ્ઞાનની નિર્મળતા કરવી કે જેથી તે જ્ઞાનદર્પણમાં સર્વ ભાવે, રહસ્ય અને બુદ્ધિથી ન સમજાય તેવા ભેદે પ્રકાશિત થાય. આપણે જાણીએ છીએ કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વીર્યબળ શ્રી તીર્થંકર પ્રભુજીનું છે, તેમ છતાં આશ્ચર્ય તો એ છે કે તેમના પૂર્વભવ, પ્રસંગો, શુભાશુભ ઉદયકાળે અને પુરુષાર્થ જોતાં વિર્યબળની ચાલી આવતી સ્થિતિ તરતમાતાવાળી હોય છે. શ્રી આદિનાથ પ્રભુથી માંડી શ્રી મહાવીરસ્વામી સુધીના તીર્થકર ભગવંતોના પૂર્વ અને છેલ્લા ભવ સંબંધની વિગતે બરાબર તપાસી અને લક્ષમાં લેવાથી ઉપર જણાવેલી વાત સત્ય લાગશે. અહીં જે વીર્યની તરતમતા પરત્વેનું વિધાન કર્યું છે તે માત્ર તેમનો છેલ્લે ભવ નહીં પણ સંજ્ઞીપણાના ભાવે લક્ષમાં લઈને કરેલ છે તે ધ્યાનમાં રાખવું. શ્રી તીર્થંકર પ્રભુ કરતાં ઉતરતું વીર્યબળ તેમનાથી નીચેનું પરમાર્થ પદ ધારણ કરનાર શ્રી ગણધર પ્રભુનું, તેથી ઉતરતું અન્ય પરમાર્થ પદ ધારકનું, તેથી પણ ન્યૂન સામાન્ય કેવળીનું અને કનિષ્ટમાં કનિષ્ટ નપુંસક વેદે સિદ્ધ થયેલા ભગવંતનું છે. પ્રત્યેક પ્રકારમાં વીર્યની તરતમતા હોય છે તે યાદ રાખવું. આ પ્રમાણે ઉત્તમ પુરુષોના નિમિત્તથી નિગોદમાંથી નીકળનાર અને ઉત્તમ વીર્યના ઉઘાડને અને આત્માથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy