SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ * | નુ બંધ : ૧૮ બહાર નીકળનાર જીવને મળે છે. આ એક રહસ્યમય સિદ્ધાંત છે અને તેનું બહુ મૂલ્ય છે. મોટા ભાગે ઘણું કરીને આ પ્રમાણે હોય છે તેમ છતાં જીવના પિતાના સ્વતંત્ર, સીધા કે ઊંધા પુરુષાર્થથી તેમાં ન્યૂનાધિકતા અવશ્ય સંભવે છે, એટલે કે જીવ કેવળ પરાધીન નથી. તેમ આ સિદ્ધાંત પુરુષાર્થના ઉત્તમ બળને ઉતારી પાડવાના હેતુએ કહ્યો નથી, પરંતુ જીવ જાણવા છતાં, અંદરમાં નિશ્ચય કરવા છતાં, તેમ કરવાની ઈચ્છા હોવા છતાં, યથાયોગ્ય પુરુષાર્થ કેમ ઉપાડી શકતા નથી, અથવા મંદપણે ઉપાડે છે અથવા તેમાં વિલંબ કરે છે તેનું ગુપ્ત કારણ સમજવા માટે કહ્યો છે, તેમ આ સિદ્ધાંત પુરુષાર્થહીન થવા માટે જણાવ્યો નથી. કેઈ સંસારમેહી જીવના અથવા ધર્મચિવંત જીવના જ્ઞાનમાં નથી કે પિતાને કેવા પ્રકારના વીર્યની ઉપલબ્ધિનો લાભ મળેલ છે, તેથી દરેક જીવે અવશ્ય પુરુષાર્થને પ્રધાન કર ઘટે છે. પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનની માતા મરુદેવીના સંબંધમાં “એકેન્દ્રિયનું એકાવતારીપણું” કહેવામાં આવ્યું છે, તેની પાછળ અહીં કહ્ય તે સિદ્ધાંત રહ્યો છે. “એકેન્દ્રિયનું એકાવતારીપણું" જેમ સમજવામાં અથવા સમજાવવામાં આવ્યું છે, તે તેમ નથી. આ વચનો અપેક્ષિત છે, તેથી અપેક્ષાએ સમજવા યોગ્ય છે અને સમજાતાં તરત બુદ્ધિગમ્ય થાય છે. કોઈ સ્થળે એકાંત પક્ષ ગ્રહણ કરવા યોગ્ય નથી એવું જે જિનવચન તે સર્વથા સત્ય છે. આથી સત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy