SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ : આધ્યાત્મિક નિબંધ હોવાથી કંઈ ચોક્કસપણે કહી શકાય તેવું નથી. તેમનું આત્મવીર્ય શુભાશુભ વચ્ચે ઝોલાં ખાતું હોય છે. તેમની નિમિત્તાધીન પલટાતી સ્થિતિ વારંવાર જોવામાં આવે છે. ઘણું કરીને તેમનું જિજ્ઞાસાબ અને નિશ્ચયબળ મંદપણે પ્રવર્તતું હોય છે. એક છેડેથી બીજે છેડે પહોંચી જવામાં તેમને વાર લાગતી નથી; ક્યારેક એક વિષયના રસની ધૂન હોય છે, તો ક્યારેક તેનાથી વિરુદ્ધ અન્ય વિષયની; વ્યવહાર અને પરમાર્થ બંનેમાં તેમની વિના આ પ્રકારે હોય છે. વ્યવહાર જીવનમાં જે ટે, આદત, દોષ અને સહવર્તનરૂપ ગુણ કેળવાય છે, તે જ ટે આદિ પરમાર્થમાં રહ્યા કરે છે; ખાટી બંધનકારક આદતો અને દેષની નિવૃત્તિ તે છ અવશ્ય ઈચ્છે છે પરંતુ તેને દૂર કરવાનું કાર્ય તેમને માટે આકરુ બને છે અને ઠીક કષ્ટ વેઠ્યા પછી સફળતા મળે છે. વીર્યની તરતમતાનાં કારણનું મૂળ ક્યાં છે? શ્રી જિનદેવે કહ્યું છે કે કોઈ એક જીવ સિદ્ધ થાય ત્યારે તેના નિમિત્તથી એક જીવ નિત્ય નિગોદમાંથી બહાર નીકળી ઈતર નિગોદ એટલે પૃથ્વીકાય, અપૂકાય, તેજકાય વાયુકાય અને વનસ્પતીકામમાં આવે છે. સિદ્ધ થનાર જીવનું સંસારબ્રમણ દરમ્યાન ઉત્કૃષ્ટ, મધ્યમ કે કનિષ્ટ જેવા પ્રકારનું વીર્ય પ્રગટતાએ હોય તથા તેને જેવી રીતે ઉપયોગમાં લેવાયું હોય, તેવા ઉત્કૃષ્ટ કે મધ્યમ કે કનિષ્ટ પ્રકારના વયને લાભ તેમના નિમિત્તથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy