SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ : આધ્યાત્મિક નિબંધ તાથી તે સર્વ ઘાતી કર્મોની સામે પડી, તેને ક્ષય કરી, સર્વ ભાવથી પર રહી શુદ્ધ, બુદ્ધ અને મુક્ત પણ તે જ ગતિમાં થાય છે. રત્નચિંતામણિ સમાન મનેષ્યદેહની ઉત્તમતી અને તેની સ્વતંત્રતા આથી સહજ લક્ષમાં આવશે. ગણાનુબંધના બળને સંચય : ભભવ સંસારી સગપણ સંબંધ જેમ જેમ વધતા જાય, તેમ તેમ ભાવાનુસાર શુભાશુભ ઋણાનુબંધને સંચય પણ વધતો જાય છે. જેમ તેવા ભવની સંખ્યા વધારે, તેમ બળ અને ફળ અધિક તથા જેમ તેવા ભવની સંખ્યા ઓછી, તેમ બળ અને ફળ ન્યૂન, ઉત્કૃષ્ટ લાભ કે હાનિ અધિકતમ શુભાશુભ ઋણાનુબંધવાળા ઘણુ ભવેની સંખ્યા પર આધારિત છે; કનિષ્ટ લાભ કે હાનિ ન્યૂનતમ શુભાશુભ ઋણાનુબંધવાળા અલપ ની સંખ્યા પર અવલંબિત છે. અધિક શુભ ઋણવાળી ભવેની મોટી સંખ્યા વ્યવહારથી અત્યંત લાભદાયી અને પરમાર્થ થી ચોગ મળતાં આત્મદશાની શીઘ્રતાએ ઉત્કર્ષતા લાવવામાં ઉપકારી થાય છે. અધિક અશુભ ત્રણવાળી ભવસંખ્યા અત્યંત પીડાકારી અને આધિ, વ્યાધિ અને ઉપાધિથી દુઃખદાયક થાય છે; જ્ઞાની ભગવંતના છેલા ભવમાં જે આકરા પરિ. સહો અને વિષમ ઉપસર્ગો આવે છે તે આવા દીર્ઘકાલીન અધિક ભવસંખ્યાના અશુભ ત્રણની ચૂકવણું અર્થે હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy