________________
થોડાક પ્રમાણમાં ભોગ પણ યોગદાન આપતો હશે, પોતાની ફરજ નિભાવતો હશે. જો ભોગ ન હોત તો રોગ હોત જ નહિ. રોગી જ વારંવાર રોગી થાય છે. પરંતુ જે રોગી નથી તેને રોગી બનાવી જ નથી શકાતો. પ્રલયનું સૂત્ર
ભોગવાદ પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલવો પડશે. આપણા માટે ભોગ અનિવાર્ય છે, આપણે ખુલ્લા મનથી ભોગ કરીએ એવો ખ્યાલ જે દિવસે બંધાઈ જાય છે તે દિવસે રોગને આમંત્રણ મળી જાય છે. આજે ભોગાતીત ચેતનાના વિકાસની જરૂર છે અને તે એટલા માટે કે માણસ સારું જીવન જીવવા ઝંખે છે. હું એમ નથી માનતો કે દુનિયામાંથી ભોગ ખતમ થઈ જશે- ભોગ નહિ રહે, પરંતુ ભોગની સાથે ભોગાતીત ચેતનાનો વિકાસ પણ ચાલે એ અપેક્ષિત છે. એટલે કે ત્યાગની ચેતના, ભોગસંયમની ચેતનાનો વિકાસ પણ થવો જોઈએ. જો માત્ર ભોગ ચાલતો રહેશે તો જોખમ વધી જશે. અણુબોમ્બ કરતાં પણ વધુ પલયકારી આ ઉશૃંખલ ભોગવાદ બની રહેશે. અણુબોમ્બ તો ક્યારે પ્રલય કરશે એની કોઈની ખબર નથી, પરંતુ આ ભોગવાદ આપોઆપ પ્રલયનું સૂત્ર બની રહેશે. આવશ્યક છે અંકુશ
આપણે વર્તમાન સ્થિતિનું અવલોકન કરીએ. આજે ભારતની સ્થિતિ સારી નથી. વિદેશોની સ્થિતિ તો એથી પણ વધુ ખરાબ છે. એટલી બધી સમસ્યાઓ, એટલી બધી જટિલતાઓ અને એટલા બધા માનસિક સંતાપો વધી રહ્યાં છે કે વ્યક્તિને ક્યારેય કશું સૂઝતું જ નથી. તેને કોઈ રસ્તો જ નથી મળતો. એનું કારણ ભોગવાદને સર્વસ્વ માની લેવો તે છે. એમ લાગે છે કે સંયમ કરવાની વાત જાણે શીખવાડી જ નથી. આ સંદર્ભમાં આપણે મહાવીરવાણીનું મૂલ્યાંકન કરીએ. સમસ્યાના સમાધાન માટે ભોગનો અતિરેક ન થાય તે આવશ્યક છે. પ્રત્યેક ચીજની મર્યાદા હોવી જોઈએ. તેનો અંકુશ હોવો જોઈએ, તેનું નિયંત્રણ હોવું જોઈએ. જ્યાં જ્યાં અતિરેક થાય છે ત્યાં ઘણુંખરું અનિષ્ટ પેદા થઈ જાય છે. કેટલાક લોકો એવો તર્ક કરે છે કે ત્યાગનો પણ અતિરેક ન થવો જોઈએ. પ્રશ્ન છે કે અતિરેક ક્યાં થાય છે ? ઇન્દ્રિયોનો ભોગ કોણ નથી કરતું? શું કોઈ મુનિ ઇન્દ્રિયોનો ભોગ નથી કરતો? મુનિ ખાય છે પણ
અસ્તિત્વ અને અહિંસા ક ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org