SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ મુશ્કેલ હોય છે. મોહકર્મની જેટલી પ્રકૃતિઓ છે તે આપણા મસ્તિષ્કના સ્વાભાવિક લયમાં અવરોધ પેદા કરે છે. મનમાં કોઈપણ વિચારનો તરંગ ઉદ્ભવે છે અને મસ્તિક્નો લય ખોરવાઈ જાય છે, તેમાં અવરોધ આવી જાય છે. બીમાર કોણ થાય છે ? આ એક સત્ય છે કે જે બીમાર હોય છે તેને બીમારી થાય છે. એમ પૂછવામાં આવ્યું કે નરકમાં કોણ પેદા થાય છે ઃ માણસ કે તીર્થંચ ? કહેવામાં આવ્યું કે નરકમાં ન તો માણસ પેદા થાય છે કે ન તો તીર્થંચ પેદા થાય છે. નરકમાં માણસ ક્યારેય જતો જ નથી, દેવતા પેદા થતો જ નથી. નરકમાં નૈરેયિક જ પેદા થાય છે. અહીં પ્રશ્ન એ છે કે બીમારી કોને પકડે છે ? જવાબ આપવામાં આવ્યો કે બીમારને જ બીમારી પકડે છે. જે સ્વસ્થ છે તેને બીમારી ક્યારેય પકડતી નથી. આ વાત અત્યંત વૈજ્ઞાનિક છે. આપણે એ દૃષ્ટિએ વિચાર કરીએ. એક જૈવિક રાસાયણિક શ્રૃંખલા હોય છે, રોગપ્રતિરોધક શક્તિ હોય છે તે રોગથી બચાવે છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે તેને રોગ ઘેરી વળે છે. જે વ્યક્તિ જેટલા પ્રમાણમાં ભોગ કરશે તેની એટલા જ પ્રમાણમાં રોગપ્રતિરોધકતા નબળી પડતી જશે. એવી કઈ બીમારીનાં કીટાણુઓ છે કે જે આપણી અંદર નથી હોતાં ? તમામ બીમારીઓનાં કીટાણુઓ માનવીના શરીરમાં ફરતાં રહે છે, પરંતુ તેની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ હોવાથી તે કીટાણુઓ આક્રમણ કરી શકતાં નથી. રોગપ્રતિકારક શક્તિ એટલી પ્રબળ હોય છે કે તે તમામ કીટાણુઓને સમાપ્ત કરી દે છે. ભોગ અને રોગ - બંધન કોને હોય છે ? જે બંધાયેલો છે તેને બંધન હોય છે. જે મુક્ત થઈ જાય તેને બંધન નથી રહેતું. રોગ પણ એની પાસે જ પહોંચે છે જે રોગી હોય છે. જે અરોગી હશે તેને રોગ નહિ થાય. બન્નેં કર્માણિ બુઘ્નતિ, રોગો ગચ્છતિ રોગિણામ્ । અબદ્ધો ન ભવેદ્ બુદ્ધઃ, વિરાગો નામયાસ્પદમ્ ॥ રોગ પેદા થાય છે કારણ કે ભોગનો રોગ ભીતરમાં બેઠેલો છે. જો ભોગનો રોગ નહિ હોય તો રોગ નહિ થાય. જો વ્યક્તિ ભોગી હોય તો તે રોગી પણ છે. જો વ્યક્તિ ભોગી નથી તો તે રોગી પણ નથી. આપણે એ સ્વીકારી લેવું જોઈએ કે જ્યાં રોગ હશે ત્યાં નિશ્ચિતરૂપે અસ્તિત્વ અને અહિંસા : ૯૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy