________________
સમાનતાની વાત જવા દઈએ. દરેક વ્યક્તિની કમાવવાની રીત અલગ અલગ હોય છે, વ્યાવસાયિક કૌશલ અલગ અલગ હોય છે. કોઈ વધુ કમાય છે તો કોઈ ઓછું કમાય છે. આર્થિક સમાનતાનું યાંત્રિકીકરણ થઈ શકતું નથી. તમામ લોકો લાખોપતિ બની જાય એવું ક્યારેય શક્ય નથી. બહુ બહુ તો એટલું થઈ શકે કે જીવનની પ્રારંભિક અને મૌલિક આવશ્યકતાઓ સૌને સમાનરૂપે મળે. પોતપોતાની વિશેષ યોગ્યતા દ્વારા વ્યક્તિ લાભ પામે, તેમાં બીજા લોકોને મુશ્કેલી ન પડે. રસ્કિન અને ગાંધીનો મત હતો કે એક ન્યાયાધીશને જેટલું મળે એટલું જ એક વકીલને પણ મળે. એનો અર્થ એ છે કે જીવનની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ થઈ શકે એટલું તો અવશ્ય મળશે. આ વાત પણ ત્યાં સુધી સફળ થઈ ન શકે કે જ્યાં સુધી આર્થિક વિકાસની સાથે સાથે આર્થિક સંયમ અને ભોગપભોગના સંયમની વાત જોડાઈ ન જાય. બીજી બે વાતો જોડાય
સમસ્યા એ થઈ કે આર્થિક વિકાસ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો. અધિક ઉત્પાદન, અધિક આવક અને સમાન વિતરણ- આ બધા તરફ ખૂબ ધ્યાન આપવામાં આવ્યું, પરંતુ એની સાથે સાથે બીજી બે વાતોને પણ જોડવાની જરૂર હતી- આર્થિક સંયમ અને ઇચ્છાનો સંયમ. તેમને જોડવામાં ન આવી. પરિણામ એ આવ્યું કે આર્થિક સમસ્યા હલ ન થઈ શકી. આ મુદ્દા ઉપર એમ કહી શકાય કે ધર્મ વગર સમાજની વ્યવસ્થા ખોડંગાઈ જાય છે. જો આ બન્નેનો યોગ થયો હોત, આજના અર્થશાસ્ત્રીઓ આર્થિક વિકાસની સાથે સંયમની વાત જોડી દેત તો એક નવું સમીકરણ બની ગયું હોત. ઇચ્છાસંયમ અને ભોગસંયમની સાથે આર્થિક વિકાસનો પ્રશ્ન જોડાયેલો હોત તો ગરીબ અને અમીર વચ્ચે આટલું બધું અંતર ન હોત. સમાજને નવી રીતે વિચારવાની તક મળી હોત. અર્થ અને પરિગ્રહની સમસ્યા ભયાનક ન બની હોત. આપણે ભારતનાં મોટાં શહેરોને જોઈએ. એક તરફ ગગનચુંબી મહાલયો ઊભાં છે તો બીજી તરફ એવી તૂટેલી-ફૂટેલી ઝુંપડીઓની હારમાળા છે કે જે જોઈને માનવીનું મન વિતૃષ્ણાથી છલકાઈ જાય છે. જટિલ છે પરગ્રહની સમસ્યા
શું આ તફાવત દૂર થઈ શકે ખરો ? શું આ સ્થિતિમાં આર્થિક સમાનતાની વાત સફળ થઈ શકે ખરી ? આપણે જોઈએ છીએ કે એક
----- અસ્તિત્વ અને અહિંસા - ૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org