________________
તરફ અનેક સંભ્રાન્ત વ્યક્તિઓ લગ્ન વગેરે પાછળ લાખો-કરોડો રૂપિયા ખર્ચી નાખે છે તો બીજી તરફ લાખો-કરોડો લોકો ભૂખથી પિડાઈ રહ્યા છે. આ કેવી ભયાનક સ્થિતિ છે ! ક્યાં ઇચ્છાપરિમાણની વાત અને ક્યાં અપરિગ્રહની વાત ! અપરિગ્રહની વાત કરતાં પણ સંકોચ થાય છે. ભારતમાં સેંકડો ઉદ્યોગપતિઓ છે, હજારો-લાખો વેપારીઓ છે. એ બધામાં કેટલાક એવા હશે કે જેમણે પોતાના જીવનમાં ઇચ્છાપરિમાણ અને ભોગપભોગના સંયમનો સ્વર સાંભળ્યો પણ નહિ હોય ! તેઓ માત્ર એક જ વાત જાણે છે – ખૂબ કમાઓ, ખૂબ ભોગવો અને લગ્ન વગેરેમાં છૂટા હાથે લૂંટાવો ! હિંસા કરતાં પણ પરિગ્રહની સમસ્યા અધિક જટિલ છે. વર્તમાન સમસ્યાને જોતાં અપરિગ્રહ ઉપર વધુ ભાર મૂકવાનું આવશ્યક છે. “અહિંસા પરમોધર્મ'ની સાથોસાથ “અપરિગ્રહ પરમોધર્મ'નો બોધ પ્રબળ થવો જરૂરી છે. અહિંસા અને અપરિગ્રહની એક જોડી છે, તેને કાપી નાંખવામાં આવી. તેને ફરીથી જોડીને આપણે સમાધાનની દિશામાં આગળ વધી શકીશું. જે દિવસે “અહિંસા પરમોધર્મની સાથોસાથ “અપરિગ્રહ પરમોધર્મઃ'નો સ્વર બુલંદ બનશે, તે દિવસે આર્થિક સમસ્યાનું એક સમાધાન મળી જશે.
અસ્તિત્વ અને અહિંસા, ૮૯ --
~--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org