________________
ઇચ્છાને અધિક વધારવી સારી નથી. એ વાત સમજાયા પછી જ અપરિગ્રહનો સિદ્ધાંત સમજી શકાશે. મનમાં ઇચ્છા પ્રબળ હશે તો બહારનો ઉપદેશ ખાસ સાર્થક નહિ બને. મનમાં ઇચ્છાની એવી ભરતી ઊમટે છે, કે બહારનો ઉપદેશ ક્યાંય દૂર રહી જાય છે. માણસ વધુ ને વધુ પરિગ્રહ કરવામાં લીન રહે છે. જ્યાં સુધી આ કંઠ ટળશે નહિ ત્યાં સુધી સમસ્યાનું સમાધાન નહિ થાય. મહાવીરે કહ્યું કે ઇચ્છા ઓછી નથી, પરંતુ પરિગ્રહ અને સંગ્રહ અધિક છે. આવી અવસ્થામાં ન તો તપ થઈ શકે છે કે ન તો સંયમ થઈ શકે છે. ઇચ્છા તપ, નિયમ અને સંયમ તમામને સમાપ્ત કરી દે છે. જટિલ પ્રશ્ન
આજે પણ પરિગ્રહ અને અપરિગ્રહનો પ્રશ્ન, આર્થિક સમાનતા અને વિષમતાનો પ્રશ્ન ખૂબ ગુંચવાયેલો છે. જો ધર્મ આ સમસ્યાનું સમાધાન ન આપી શકે તો કદાચ અન્ય કોઈ પણ તેનું સમાધાન આપવામાં સમર્થ નથી. જો ધર્મ આ સમસ્યાનું સમાધાન ન આપે તો તે પોતાનું કર્તવ્ય ક્યાં સુધી નિભાવે છે એ પણ એક પ્રશ્ન છે. આર્થિક સમસ્યાનું સમાધાન આપવું એ ખૂબ જટિલ બાબત છે. અહિંસક સમાજરચનાનો પ્રશ્ન લાંબા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ અહિંસક સમાજરચના અપરિગ્રહની સમાજરચના વગર ક્યારેક શક્ય નથી.
આપણે એક બિંદુને પકડીએ. ભગવાન મહાવીરનાં બે સૂત્રોઇચ્છાપરિમાણ અને ભોગોપભોગપરિમાણ- આર્થિક સમસ્યાનું સમાધાન આપી શકે તેમ છે. જ્યાં સુધી ઇચ્છા અને ભોગનો સંયમ નહિ થાય ત્યાં સુધી અહિંસક સમાજરચનાનું સ્વપ્ન સાકાર નહિ થાય અને આર્થિક સમસ્યા પણ હલ નહિ થાય. વર્ગ-સંઘર્ષની ક્રાંતિઓ, હિંસક ક્રાંતિઓ એટલા માટે જ થાય છે કે વ્યક્તિ લોભી અને સ્વાર્થી બની જાય છે. તે માત્ર પોતાના ભોગોપભોગની જ ચિંતા કરે છે. તે સંગ્રહી અને પરિગ્રહી બની જાય છે. પોતાની આસપાસ તે ધ્યાન આપતો જ નથી. આવી સ્થિતિ જ ક્રાંતિને જન્મ આપે છે. આર્થિક વિકાસ : આર્થિક સંયમ
આર્થિક વ્યવસ્થાનું સૌથી મોટું સૂત્ર આ હોઈ શકે – સમગ્ર સમાજની ન્યૂનતમ આવશ્યક્તાઓ પૂરી થઈ જાય. આહાર, વસ્ત્ર, મકાન, દવા અને શિક્ષણનાં સાધનો સૌ કોઈને સુલભ થઈ જાય. આર્થિક
-- અસ્તિત્વ અને અહિંસા ૮૭ –
-મન
નનન નનનન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org