________________
આવ્યું કે અર્થની પ્રેરણા ઘટી ગઈ, કમાવાની પ્રેરણા ઘટી ગઈ. આજે એમાં પણ પરિવર્તન લાવવું જરૂરી બન્યું છે.
ટ્રસ્ટીશિપવાળી વાત લોકોના ગળે ન ઊતરી. જે બન્યા તે માલિક બન્યા, સંરક્ષક કોઈ ન બન્યું. મોટા મોટા ઉદ્યોગપતિઓ તથા ગાંધીજીની નજીક રહેનારા લોકોએ પોતાના માટે તેનો ઉપયોગ કર્યો. ઉદ્યોગો ચાલ્યા, મિલો ચાલી. એવા માલિકો અને સંરક્ષકો બન્યા કે પોતાના માટે લાખોકરોડોની મૂડીનાં ગેસ્ટહાઉસ તથા બંગલા બનાવી લીધાં, મજૂરો માટે પૂરતી ઝુંપડીઓ પણ ન બની. આર્થિક સમાનતાના સંદર્ભમાં ટ્રસ્ટીશિપની વાત પણ સફળ ન નીવડી.
અપરિગ્રહ · ઇચ્છા-પરિમાણ
આપણે મૂળ બિંદુને પકડવું પડશે. ભગવાન મહાવીરની વાણીમાં એ બિંદુ પ્રાપ્ત થાય છે. જો આપણે વિધાયક રૂપે આર્થિક સમાનતાની વાત કરીશું તો આ સમસ્યાનું સમાધાન નહિ મળે. આપણે નિષેધ દ્વારા
આ સમસ્યાનું સમાધાન લાવી શકીશું. ક્યારેક નિષેધ ખૂબ ઉપયોગી બની રહે છે. દરેક જગાએ વિધાયક વાત સફળ નીવડતી નથી. અહિંસાની વ્યાખ્યા વિધાયક સ્વરૂપે કરીશું તો ઘણી મુશ્કેલીઓ થશે. અપરિગ્રહની વ્યાખ્યા પણ વિધાયકના રૂપમાં કરીશું તો અનેક મુશ્કેલીઓ નડશે. આપણે નિષેધ દ્વારા આગળ વધવું પડશે. ‘કોઈને ન મારો’, ગૃહસ્થ માટે અહિંસાની આ સૌથી સચોટ વ્યાખ્યા હોઈ શકે. ‘ઇચ્છાનું પરિમાણ કરો', ગૃહસ્થ માટે અપરિગ્રહની આ સૌથી સારી વ્યાખ્યા હોઈ શકે. ગૃહસ્થનો અપરિગ્રહ મુનિનો અપરિગ્રહ નથી હોતો. ગૃહસ્થ માટે છે
ઇચ્છાપરિમાણ.
ઇચ્છા, પરિગ્રહ અને આરંભ
મહાવીર અત્યંત ઊંડાણમાં જનારા હતા. તેમણે એમ નથી કહ્યું કે પદાર્થનું પરિમાણ કરો, પદાર્થની મર્યાદા રાખો. એમણે એમ પણ નથી કહ્યું કે આટલું ધન ન રાખો. મહાવીરે તો કહ્યું કે ઇચ્છાનું પરિમાણ કરો. ઇચ્છા, પરિગ્રહ અને આરંભનું એક ચક્ર હોય છે. ઇચ્છા ઓછી હશે તો પરિગ્રહ અને આરંભ ઓછા થશે. જ્યાં સુધી ઇચ્છાને તમે નહિ પકડો ત્યાં સુધી ન તો વ્યક્તિગત માલિકીની મર્યાદાની વાત સફળ થશે કે ન તો ટ્રષ્ટીશિપની વાત સફળ થશે. આ બન્ને સૂત્રોની સફળતા ત્યારે જ શક્ય છે કે જ્યારે તેમની પૃષ્ટભૂમિમાં ઇચ્છાની મર્યાદાનું સૂત્ર હોય. અસ્તિત્વ અને અહિંસા ૢ ૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org