________________
રક્તપાત થઈ રહ્યાં છે. ખૂબ ચિંતનને અંતે તેમને લાગ્યું કે તેનું કારણ પરિગ્રહ છે. આર્થિક વિષમતાને કારણે આવી પરિસ્થિતિઓ પેદા થઈ રહી છે. માસ અને ગાંધી
આજે અહિંસા આપણા ચિંતનનો ગૌણ વિષય બની ગયો અને પરિગ્રહ મુખ્ય વિષય બની ગયો. આજે ચિંતનનો સમગ્ર પ્રવાહ આર્થિક સમાનતા અને આર્થિક વિષમતા એ બે બિંદુઓ ઉપર ટકેલો છે. આર્થિક વિષમતા રહેશે તો સમાજમાં હિંસા વધશે. આર્થિક સમાનતા રહેશે તો સમાજમાં હિંસા ઓછી થશે, અહિંસાનો વિકાસ થશે. એક તરફ સામ્યવાદી વિચારધારાના પ્રવર્તક માક માસ આ બિંદુ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું તો બીજી તરફ અહિંસાના પ્રબળ સમર્થક મહાત્મા ગાંધીએ પણ એ વિષય ઉપર ચિંતન-મંથન કર્યું. માક્સ અહિંસાની દૃષ્ટિએ મુખ્ય ચિંતનપ્રવાહમાં નહોતા. ગાંધીજીની પાસે અહિંસાના ચિંતન સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. પરંતુ બન્નેનું ચિંતનબિંદુ એક જ હતું અને તે હતું આર્થિક સમાનતા. આ બિંદુ ઉપર ગાંધી અને માસ બન્નેએ વિચાર કર્યો, આર્થિક સમાનતાની બે પ્રણાલીઓ પ્રસ્તુત થઈ ગઈ. પ્રશ્ન આર્થિક સમાનતાનો
ગાંધીની પ્રણાલી હતી ટ્રસ્ટીશિપની અને માની પ્રણાલીનો આધાર હતો- વ્યક્તિગત માલિકીની સમાપ્તિ. સામ્યવાદે પ્રયોગ કર્યો વ્યક્તિગત માલિકીને સમાપ્ત કરવાનો અને ગાંધીજીએ પ્રયોગ કર્યો ટ્રસ્ટીશિપનો. પરંતુ એમ લાગે છે કે બન્ને પ્રયોગ સફળ થયા નથી. આર્થિક સમાનતાનો પ્રશ્ન ભારે જટિલ છે. જો આપણે વિધાયક રૂપે ચાલીએ તો સમગ્ર વ્યવસ્થા ડહોળાઈ જશે. સમાનતા એટલે શું ? યાંત્રિક સમાનતા કે આર્થિક સમાનતા ? સમાનતાનો આધાર કયો હોવો જોઈએ ? એક પરિવારમાં બે છોકરા છે અને બીજા પરિવારમાં આઠ છોકરા છે. તો શું ત્યાં સમાનતા કામમાં આવશે ખરી ? સમાનતા એટલે સૌકોઈની પાસે સમાન સાધન. એક પરિવારમાં માત્ર પતિ-પત્ની બે જ સભ્યો છે અને બીજા પરિવારમાં દસ કરતાં વધારે સભ્યો છે. આવા સંજોગોમાં સમાનતાનો પ્રશ્ન શી રીતે ટકશે ? આ પ્રણાલીની સામે એટલી બધી મુશ્કેલીઓ આવી કે વ્યક્તિગત માલિકીની મર્યાદાની વાત સફળ થઈ ન શકી. વ્યક્તિગત માલિકીને બંધ કરવાનું પરિણામ એ
--——- અસ્તિત્વ અને અહિંસા ૮૫ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org