SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ અપરિગ્રહ : પોર્મ આકાશ ગજવનારો એ સ્વર અનેક વખત સાંભળવામાં આવ્યો છે ‘અહિંસા પરમોધર્મઃ’. ‘અપરિગ્રહ પરમોધર્મઃ'નો સ્વર ખૂબ ઓછો સાંભળવા મળ્યો છે. ‘અહિંસા પરમોધર્મઃ’ના ઉલ્લેખ દશવૈકાલિક ચૂર્ણિમાં મળે છે. મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ મળે છે – ‘અહિંસા પરમોદમઃ, અહિંસા પરમદાનમ્ આ ઘોષ અત્યંત પ્રાચીન છે. આજે એક નવા ઘોષની જરૂર છે ઃ અપરિગ્રહઃ પરમોધર્મઃ. ગણાધિપતિ તુલસીની ઉદયપુર યાત્રા દરમ્યાન આ ઘોષ પહેલી વખત મુખરિત થયો. પ્રશ્ન ઉદ્ભવશે કે આ ઘોષ શા માટે ? આશ્ચર્યની વાત એ છે કે આ ઘોષ અગાઉ કેમ મુખર ન થયો ? જ્યારે ‘અહિંસા પરમોધર્મઃ'નો સ્વર ઉચ્ચરિત થયો ત્યારે તેની સાથોસાથ ‘અપરિગ્રહ પરમોધર્મઃ'નો સ્વર પણ ઉચ્ચરિત થવો જોઈતો હતો. હિંસાનું કારણ ઃ આર્થિક વિષમતા અહિંસા અને અપરિગ્રહ બન્નેને આપણે અલગ અલગ જોઈશું તો આખી વાત સમજાશે નહિ. અપરિગ્રહ વગર અહિંસાને સમજી શકાતી નથી. અહિંસાને સમજવા માટે અપરિગ્રહને સમજવો જરૂરી છે અને અપરિગ્રહને સમજવા માટે અહિંસાને સમજવી જરૂરી છે. માણસ હિંસા શા માટે કરે છે ? શરીર માટે, પરિવાર માટે, જમીન અને ધન માટે, સત્તા માટે. આ બધું શું છે ? આ બધું પરિગ્રહ છે. હિંસાનું મુખ્ય કારણ પરિગ્રહ છે. કોઈ વ્યક્તિ અહિંસા કરવા ઇચ્છે અને અપરિગ્રહ કરવાનું ન ઇચ્છે એવું ક્યારેય શક્ય નથી. ઇચ્છા, હિંસા અને પરિગ્રહ આ ત્રણેય વચ્ચે પારસ્પરિક સંબંધ છે, ત્રણેય સાથેસાથે રહે છે. કોઈ વ્યક્તિ ધન કમાવવા ઇચ્છે તો શું હિંસા વગર ધનની કમાણી શક્ય છે ? આજે અપરિગ્રહને એક નવો સંદર્ભ પ્રાપ્ત થયો છે. વર્તમાન શતાબ્દીમાં જગતના અનેક વિચારકોએ જોયું કે હિંસા ખૂબ છે, સમાજમાં અસંતોષ વ્યાપક છે. ચારે તરફ ક્રાંતિઓ અને અસ્તિત્વ અને અહિંસા ૢ ૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy