SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તે જાણો-જુએ છે. સૂરજનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ, દીપક અને વીજળીનો પ્રકાશ, રત્નોનો પ્રકાશ અને કેટલીક વનસ્પતિઓનો પ્રકાશ. પ્રકાશ કરનારાં દ્રવ્યો અનેક છે પરંતુ સૌથી મોટો પ્રકાશ છે ચેતનાનો પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ. એ પ્રકાશ છે તો બાકીના પ્રકાશ છે અને જો તે નથી તો કશું જ નથી. ચેતનાનો પ્રકાશ હોય છે તો બીજા પ્રકાશ પણ કામ આપે છે. જો આંખ બરાબર હોય તો સૂર્યનો પ્રકાશ તથા અન્યાન્ય પ્રકાશ ઉપયોગી બને છે. જો આંખ ન હોય તો ? ન તો સૂર્યનો પ્રકાશ કામમાં આવશે કે ન તો અન્ય કોઈ પદાર્થોનો પ્રકાશ કામમાં આવશે, ન તો કોઈ વસ્તુનું દર્શન શક્ય બની શકશે. સંસ્કૃત ભાષામાં એક સૂક્ત છે-લોચનાભ્યાં વિહીનસ્ય દર્પણ: કિં કરિષ્યતિ ? આંખ નથી તો દર્પણ શું કરશે ? સકર્મા = અકર્મા ભગવાન મહાવીરે માણસને બે ભાગમાં વહેંચી દીધો – સકર્મા અને અકર્મા. સકર્મા એટલે પ્રવૃત્તિ કરનાર. જે માણસ શરીર, વાણી અને મનની પ્રવૃત્તિ કરે છે તે સકમ છે. અકર્મા એ છે કે જે શરીર, વાણી અને મન – ત્રણેયને શાંત રાખે છે. પ્રશ્ન છે કે માણસ અકર્મા ક્યારે બની શકે ? અત્યંત ઊંડાણમાં જઈને અધ્યાત્મ એ તથ્ય રજૂ કર્યું કે લોભ માનવીને ચલાવે છે. જેટલો લોભ, એટલી જ પ્રવૃત્તિ. જ્યાં સુધી લોભ હોય છે ત્યાં સુધી વ્યક્તિ અકર્મ નથી બની શકતી, જ્ઞાતાદૃષ્ટા નથી બની શક્તી, જાણનાર-જોનાર નથી બની શકતી. પ્રશ્ન એ છે કે જુએ છે કોણ? આ સંદર્ભમાં જ્ઞાનને પણ સમજવું પડશે. એક છે બૌદ્ધિક જ્ઞાન. તેને જાણવું-જોવું એમ માન્યું જ નથી. જાણવું અને જોવું તો એ હોય છે કે જેમાં કાંઈ વાંચવાનું નથી હોતું, વ્યક્તિ સીધેસીધું જોઈ લે છે. તત્ત્વાર્થ ભાષ્યની વૃત્તિમાં કહેવામાં આવ્યું છે કે શેય એક છે અને જ્ઞાતા અનેક છે. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. આપણે એક શેયને –– અસ્તિત્વ અને અહિંસા કે ૭૮ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy