________________
સુખ-દુખ પોતપોતાનું
વ્યક્તિ અને સમાજ એ બે જીવનનાં બે પાસાં છે. કેટલાક દોરા એવા હોય છે કે જે વ્યક્તિ વ્યક્તિને જોડતા રહે છે અને એક સમાજ બની જાય છે. કેટલાંક સૂત્રો એવાં છે જે વ્યક્તિને બચાવી રાખે છે, વ્યક્તિને વ્યક્તિ બનાવી રાખે છે. તેની અલગ સત્તા બની રહે છે.
જીવનના બે પક્ષ છે : વૈયક્તિક અને સામાજિક. પ્રશ્ન છે કે વૈયક્તિક ગુણ શું છે, જે વ્યક્તિને વ્યક્તિ બનાવી રાખે છે ? આચારાંગ સૂત્રમાં તેમનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આપણે કર્મશાસ્ત્રીય દષ્ટિએ વિચાર કરીએ. જેમને મૂળકર્મ કહેવામાં આવે છે, જે ચાર ઘાત્ય કર્મ છે તે વ્યક્તિને વ્યક્તિ બનાવી રાખે છે. જ્ઞાન, ઇન્દ્રિય સંવેદન, સુખદુઃખ, આનંદ, શક્તિ અને વેદનીય કર્મ આ બધાં વ્યક્તિને વૈયક્તિકતા પ્રદાન કરે છે. જ્ઞાન સૌનું પોતપોતાનું હોય છે. ઇન્દ્રિય સંવેદન પણ સૌનું પોતપોતાનું હોય છે. સુખ-દુઃખનું સંવેદન સૌનું પોતપોતાનું હોય છે. આનંદ પણ સૌનો પોતપોતાનો હોય છે અને શક્તિ પણ સૌની પોતપોતાની હોય છે. અર્ધસત્ય = પુનત્ય
પ્રશ્ન છે સમાજનો. વ્યક્તિ સામાજિક પ્રાણી છે. ક્વી રીતે માછલ્લી પાણી વગર જીવી શકતી નથી એવી જ રીતે વ્યક્તિ સમાજ વગર જીવી શકતી નથી. તેથી સમાજ જ સર્વોપરિ છે. આ સમાજવાદ કે સામાજિકતાનો દૃષ્ટિકોણ છે. એમાં સચ્ચાઈ પણ છે. સમાજ વગર સાહિત્ય અને સભ્યતાનો, આનંદ અને સુખદુઃખનો વિકાસ ક્યારેય થઈ શકતો નથી. આ તમામનો વિકાસ સમાજના સંદર્ભમાં થયો છે.
સમાજ અને સામાજિકતા બન્ને વ્યક્તિ માટે જરૂરી છે, પરંતુ તે અર્ધસત્ય છે. માત્ર એને જ સર્વસ્વ સમજી લેવાથી સમસ્યાઓ પેદા થાય છે. પૂર્ણસત્ય પકડવા માટે સામાજિકતાની સાથે વૈયક્તિકતાને સમજવી જરૂરી છે. અધ્યાત્મ અને ધર્મશાસ્ત્રમાં વૈયક્તિકતા ઉપર ભાર
-
~- અસ્તિત્વ અને અહિંસા , ૭૨
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org