SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ મનમાં છુપાયેલો હોય છે ત્યાં સુધી મૈત્રીનો ભાવ વિકસિત થતો નથી. પ્રશ્ન શસ્ત્રીકરણનો મહાવીરે મનોવૈજ્ઞાનિક રીતે આ સ્થૂળ વાત પકડી. એ વ્યાવહારિક વાત છે. અત્યંત સામાન્ય લોકોમાં પ્રથમ સૂક્ષ્મ વાત ન કરવી જોઈએ. તેથી શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં નિઃશસ્ત્રીકરણની ધૂળ વાત સમજાવવામાં આવી. પહેલાં એમ જ કહેવામાં આવ્યું કે નિઃશસ્ત્રીકરણ કરો, કોઈને મારો નહિ, કોઈને પજવો નહિ. જેમ જેમ આ સંકલ્પ પુષ્ટ થતો જશે તેમ તેમ અસંયમનો ભાવ ઘટતો જશે. જેમ જેમ અસંયમનો ભાવ ઘટતો જશે તેમ તેમ મૈત્રી વધશે, વ્યક્તિ આપોઆપ સંયમની સીમામાં પોતાનું જીવન પસાર કરશે. શસ્ત્રીકરણ અને નિઃશસ્ત્રીકરણ એવા બે શબ્દો આપણી સમક્ષ છે. આજે પણ શસ્ત્રીકરણ એક સમસ્યા છે. એકસો વર્ષ અગાઉ કોઈએ એમ વિચાર પણ નહિ કર્યો હોય કે રાજનીતિના લોકો ક્યારેક નિઃશસ્ત્રીકરણ શબ્દોનો ઉચ્ચાર કરશે. પ્રજા નિઃશસ્ત્રીકરણની વાત ઉપર આંદોલન કરશે, નિઃશસ્ત્રીકરણ એક મુખ્ય મુદ્દો બની રહેશે. પરંતુ વિચારના વિકાસને રોકી શકાતો નથી. એક વ્યક્તિએ જે વિચાર આપ્યો તે વિચાર શતાબ્દીઓ પછી બીજાઓ માટે પોતાનો વિચાર બની રહે છે. મહાવીરનો આ નિઃશસ્ત્રીકરણનો વિચાર વિસમી શતાબ્દીમાં આપોઆપ પ્રબળ બની રહ્યો છે. આજે એ પ્રશ્ન શક્તિશાળી બની ગયો છે કે જો આ શસ્ત્રોની હોડ આ જ રીતે – આ જ ગતિથી ચાલ્યા કરશે તો કોણ જાણે શું થશે ? જૈન શ્રાવકની આચારસંહિતા ઃ નિઃશસ્ત્રીકરણ ભગવાન મહાવીરે જૈન શ્રાવકો માટે જે વ્રતોની આચારસંહિતા આપી, તેનું મૂળ સૂત્ર છે – જૈન શ્રાવક શસ્ત્રોનું નિર્માણ નહિ કરે, શસ્ત્રોના સ્પેરપાર્ટ્સનું સંયોજન પણ નહિ કરે. અનેક લોકો શસ્ત્રોના નિર્માણનું કાર્ય કરી રહ્યા છે. તેઓ સ્પેરપાર્ટ્સ મંગાવે છે અને શસ્ત્રો તૈયાર કરી નાંખે છે. પ્રત્યેક ક્ષેત્રમાં શસ્ત્રોનો ગંજ ખડકાઈ રહ્યો છે. નિઃશસ્ત્રીકરણનો સ્વર શસ્ત્રીકરણની પરિણતીને કારણે પ્રબળ બની રહ્યો છે. જો અણુશસ્ત્રોના ભંડાર તરફ ધ્યાન નહિ આપવામાં આવે તો કદાચ એક સમય એવો આવશે કે સમગ્ર માનવસભ્યતાનો લોપ થઈ જશે. -----———- અસ્તિત્વ અને અહિંસા ન ૬૯ — —– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy