________________
વધ કાર્ય છે, પ્રમાદ તેનું કારણ છે. જે અપ્રમત્ત હોય છે તે કોઈના વધ કે સંતાપ માટેની ચેષ્ટા કરતો નથી. પ્રશ્ન માનસિક હિંસાનો
ક્યારેક ક્યારેક એમ પણ સાંભળવા મળે છે કે જેનો પ્રાણીને ન મારવાની વાત ઉપર જેટલો ભાર મૂકે છે એટલો માનસિક હિંસા અને માનસિક અહિંસા ઉપર નથી મૂકતા. તેનું કારણ શું છે? હકીકતમાં આ ખ્યાલ સાચો નથી. મહાવીરની ભાષામાં હિંસા એટલે અસંયમ. અહિંસા એટલે સંયમ. હિંસાનો અર્થ છે પ્રમાદ. અહિંસાનો અર્થ છે અપ્રમાદ. જો સંયમ જ અહિંસા હોય, અપ્રમાદ જ અહિંસા હોય તો પછી કઈ માનસિક હિંસા બાકી રહી ? કઈ વૈચારિક હિંસા બાકી રહી ? કયો ખરાબ ભાવ બાકી રહ્યો ? સંયમનો અર્થ છે નિગ્રહ કરવો. અઢાર પાપનું પ્રત્યાખ્યાન કરવું એટલે સંયમ. જે વ્યક્તિ સંયમને સ્વીકારે છે, તે આ સંકલ્પનો પણ સ્વીકાર કરે છે – ભંતે ! હું સામાયિક કરું છું અને તમામ સાવદ્ય યોગનો ત્યાગ કરું છું. તમામ સાવધનો ત્યાગ એટલે અઢાર પાપનો ત્યાગ. રાગદ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પર-પરિવાદ વગેરેનો અઢાર પાપમાં સમાવેશ છે. • સ્થળ નિર્દેશ શા માટે?
હિંસા અસંયમ છે. આ વ્યાખ્યાથી કઈ હિંસા મુક્ત છે? આ એક જ સૂત્રમાં અહિંસાનું મૂળ હાર્દ સમાઈ જાય છે. મૂળને પકડવું એ બહુ મોટી વાત છે. આજનો માણસ સ્થૂળ દૃષ્ટિવાળો છે. તે સૂક્ષ્મ વાતને ઓછી પકડે છે તેથી અહિંસાના સંદર્ભમાં એવો નિર્દેશ આપવામાં આવ્યો કે કોઈને મારો નહિ. જ્યારે તમે કોઈકને મારો છો ત્યારે તે તરફડે છે. શું તમને દયા નથી આવતી? મરતી વખતે જ્યારે પ્રાણ નીકળતા હોય ત્યારે ભારે કષ્ટ પડે છે, તીવ્ર તરફડાટ થાય છે. તેથી તમે કોઈને પજવશો નહિ. કોઈને ન મારો-એમ કહીને માનવીના મનમાં કરૂણાનો ભાવ જગાડવામાં આવ્યો, અનુકંપાની લાગણી પેદા કરવામાં આવી.
જ્યારે કરુણાનો વિકાસ થાય છે ત્યારે તે નહિ મારવા પૂરતો સીમિત નથી રહેતો, તે આગળ વધે છે. તેનામાં પ્રેમનો ભાવ વિકસે છે. જે
વ્યક્તિમાં પ્રેમ અને મૈત્રીનો ભાવ વિકસીત હોય છે તે પ્રાણીમાત્ર માટે મૈત્રીનો વિકાસ કરશે. જ્યાં સુધી પારકાપણાનો ભાવ હોય છે, શત્રુતાનો
અસ્તિત્વ અને અહિંસાને ૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org