________________
રીતે સામેના પ્રાણીને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય લાગે છે. સતત નિરીક્ષણ તેમજ અન્વેષણ દ્વારા મહાવીરે આ નિયમ જાણ્યો અને એમાંથી આત્મતુલાના સિદ્ધાંતની સ્થાપના થઈ. મહાવીરે કહ્યું કે, એવા લોકો પણ હોય છે જેઓ એમ કહે છે કે આપણે બીજાઓ સાથે શી લેવાદેવા ? આપણે તો માત્ર આપણું જ જોવાનું. આપણે કેટ-કેટલાની ચિંતા કરવી ? તેઓ બીજા લોકોની ચિંતા નથી કરતા. નોકરો, કર્મચારીઓ અને શૂદ્રોની ચિંતા તેઓ નથી કરતા, પશુ-પક્ષી તથા સામાન્ય પ્રાણીઓની ચિંતા પણ તેઓ નથી કરતા. મધ્યકાળમાં સ્ત્રીઓ માટે તો એવા અત્યંત કડક નિયમો બનાવી દેવામાં આવ્યા હતા કે જેમાં માત્ર ક્રૂરતા જ જોવા મળે છે. એનું કારણ એ હતું કે આત્મતુલાના આ નિયમને ત્યારે કોઈ સમજી શક્યું નહોતું.
નિદર્શનની ભાષા
ભગવાની મહાવીરે આ સિદ્ધાંતને ઉદાહરણની ભાષામાં સમજાવ્યો. પચાસ માણસો બેઠા છે. વચ્ચે એક સગડીમાં અંગારા સળગી રહ્યા છે. મુખ્ય માણસે બીજા એક માણસને કહ્યું કે આ કોલસા લઈને અમુક વ્યક્તિના હાથમાં મૂકી દો. પેલી વ્યક્તિ સાણસી કે ચીપિયા દ્વારા કોલસા પકડીને બીજી વ્યક્તિના હાથમાં મૂકશે. તે એમ વિચારે છે કે જો હું મારા હાથ વડે કોલસા પકડીશ તો મારા હાથ દાઝી જશે. પરંતુ એ વ્યક્તિ એમ નથી વિચારતી કે જેવી રીતે સળગતા કોલસા પકડવાથી મારા હાથ દાઝી શકે છે તેવી રીતે અન્ય વ્યક્તિના હાથ પણ દાઝી શકે છે. અન્ય વ્યક્તિના હાથ પણ મારા જેવા જ છે. જે વ્યક્તિમાં આવું ચિંતન જાગી જાય છે, તે અન્ય વ્યક્તિના હાથમાં સળગતા કોલસા મૂકી શકતી નથી. પોતે સાણસી કે ચીપિયા વડે કોલસા પકડશે અને બીજી વ્યક્તિ તેને પોતાના હાથમાં લે એમ વિચારવામાં આત્મતુલાની વાત કે ન્યાય નથી. એમાં પક્ષપાત અને વિષમતાની વાત છે. વ્યવહાર-પરિવર્તનનો સિદ્ધાંત
વ્યક્તિ પોતાના માટે સુખ ઇચ્છે છે, પરંતુ તે બીજાની મુશ્કેલી સમજતી નથી. તે વ્યક્તિ એ નિયમને નથી જાણતી કે મારા ઉપર જે કાંઈ થાય છે તેની પીડા મને કેવી થાય છે ? સામેની વ્યક્તિને પણ એવી જ પીડા થતી હશે. આપણે સામેના પ્રાણીની બાબતે વિચાર કરવો જોઈએ. ભલે તે માણસ હોય, ગાય હોય, ઘોડો હોય, કૂતરો હોય કે
અસ્તિત્વ અને અહિંસા : ૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org