________________
વનસ્પતિ અથવા તો માટી હોય. આપણે એ વાત ઉપર ધ્યાન આપવું જોઈએ કે જો એના બદલે હું હોત તો મને કેવી અનુભૂતિ થાત ? જો આ નિયમ સમજાઈ જાય, આત્મસાત્ થઈ જાય તો માનવીનો સમગ્ર વ્યવહાર જ બદલાઈ જાય !
આત્મતુલાનો આ સિદ્ધાંત-જેનું ભગવાન મહાવીરે પ્રતિપાદન કર્યું છે તે આપણા સમગ્ર વ્યવહારના પરિવર્તનનો સિદ્ધાંત છે. જે વ્યક્તિ પોતાના અધ્યાત્મના નિયમને જાણે છે, તે બહારના નિયમોને જાણે છે અને જે બહારના નિયમોને જાણે છે તે પોતાના અધ્યાત્મના નિયમોને પણ જાણી લે છે. બહાર કે અંદર, પોતાનું કે પારકું – બન્ને માટે નિયમ સમાન હોય છે, આ વાત આપણે સમજીએ તો આપણો સંપૂર્ણ વ્યવહાર બદલાઈ જાય.
-
મુશ્કેલ છે નિરીક્ષણ કરવાનું
વર્તમાન સમસ્યા એ છે કે વ્યક્તિની દૃષ્ટિએ પોતાના તથા પોતાના પરિવાર માટેના નિયમો અલગ હોય છે અને અન્ય લોકો માટે કંઈક જુદા જ નિયમો હોય છે. આજે ભેળસેળનો વ્યવસાય જેટલો ચાલે છે તે બીજા લોકો માટે ચાલે છે, પોતાના લોકો માટે નહિ. એનું કારણ એ જ છે કે વ્યક્તિ આત્મતુલાના સિદ્ધાંતને નથી જાણતી, તે તુલનાનું અન્વેષણ નથી કરતી.
નિરીક્ષણ કરવાનું, અન્વેષણ કરવાનું અત્યંત મુશ્કેલ છે. માણસ શોર્ટકટથી જીવવાનું ઝંખે છે. આજે રાજમાર્ગો એવા સાંકડા બની ગયા છે કે તેણે પગદંડીની પસંદગી કરવી પડે છે. એને કારણે સમસ્યા પેદા થઈ ગઈ અને આત્મતુલાનો સિદ્ધાંત જટિલ બની ગયો. બીજા લોકોની વાત જવા દઈએ પરંતુ ધાર્મિક લોકો પણ આ સિદ્ધાંતનો પ્રયોગ કરતા નથી. જો ધાર્મિક લોકો આ તુલનાનો પ્રયોગ કરતા હોત તો આજે માનવીય સંબંધોમાં પરિવર્તન આવી ગયું હોત.
વર્તમાન સમસ્યા
આજની સૌથી મોટી સમસ્યા માનવીય સંબંધોમાં તનાવ અને સંઘર્ષની છે. જૂની પેઢીના લોકો અભણ હતા, સહન કરવાનું જાણતા હતા; પરંતુ આજે લોકોની સમજણ ખૂબ વધી છે તેથી તેમની સંવેદનશીલતા પણ વધી છે. સંવેદનશીલતાને કારણે પારસ્પરિક સંબંધોમાં તનાવ અને સંઘર્ષના તણખા ખરતા રહે છે.
અસ્તિત્વ અને અહિંસા હું ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org