________________
જે પોતાની જાતને જાણે છે તે બીજાને જાણે છે, જે બીજાને જાણે છે તે પોતાની જાતને જાણે છે. કલ્પનાસૂત્ર
કલ્પના કરો – બે જીવ છે ? એક વ્યક્તિ પોતે છે અને એક બીજો માણસ છે. વ્યક્તિ પ્રથમ પોતાની જાતને જુએ છે, તે વિચારે છે કે જો મને કોઈ ગાળ આપે તો મારા ઉપર તેની કેવી પ્રતિક્રિયા થશે ? મારું મન કેવું બનશે ? મારા મનમાં કેવી ભાવના જાગશે ? ગાળની પોતાની અંદર કેવી પ્રતિક્રિયા થશે તેનું પોતે નિરીક્ષણ કરે. એ જ વ્યક્તિએ સામેની વ્યક્તિને ગાળ દીધી. હવે તે જુએ કે એ વ્યક્તિમાં શી પ્રતિક્રિયા થઈ રહી છે ? જે પોતાની અંદર પ્રતિક્રિયા થાત, શું એવી જ પ્રતિક્રિયા બીજામાં પણ થાય છે ? કે પછી બીજા પ્રકારની પ્રતિક્રિયા થાય છે ? વ્યક્તિએ સામેની વ્યક્તિની પ્રતિક્યિા વાંચવી જોઈએ અને તેના સંદર્ભમાં પુનઃ પોતાની જાતને જોવી જોઈએ... જોતા જ રહેવું જોઈએ. સુખ-દુઃખનું સંવેદન જાણીએ
ઉનાળાની ઋતુમાં એક માણસ ઠંડી હવાની લહેરો નીચે બેઠો છે. ઠંડી હવાને કારણે એ માણસને સુખ મળ્યું, તમને કેમ લાગ્યું ? સામેની વ્યક્તિને ઠંડી ઠંડી હવા સ્પર્શવાથી તેને કેવું લાગ્યું? તમને ગરમ હવાનો સ્પર્શ કેવો લાગ્યો ? અને તેને ગરમ હવાનો સ્પર્શ થયો તો તેને કેવું લાગ્યું ? આપણે આ નિયમને આગળ લઈ જઈએ. એક કલ્પના કરીએ કે તીવ્ર ગરમીની ઋતુ છે. એક જ ઓરડો છે અને તેને એક જ દરવાજો છે. એક માણસ એ દરવાજામાં જઈને બેસી જાય છે. એને ત્યાં બેસવાનું કેવું લાગશે ? તમને કેવું લાગશે ? કોઈ અન્ય વ્યક્તિ આવીને તેને કહે કે અંદર જઈને બેસો તો એને કેવું લાગશે ? તમને કેવું લાગશે ? તમે આ નિયમ જાણો, એ ઘટનાનું નિરીક્ષણ કરો. એનો અર્થ એ છે કે પોતાના તેમજ સામેની વ્યક્તિના સુખ-દુઃખના સંવેદનને જાણવુંસમજવું. તમે જાણો, નિરીક્ષણ કરો, જાણતા રહો અને નિરીક્ષણ કરતા રહો. એમ કરતાં કરતાં એક ક્ષણ એવી આવશે કે જ્યારે તમને આત્મતુલાનો સાક્ષાત્કાર થઈ ગયો હશે. આત્મતુલાનો સિદ્ધાંત
મહાવીરને માત્ર એક જ દિવસમાં એ સત્ય સમજાયું નહોતું કે જેવી રીતે મને સુખ પ્રિય લાગે છે અને દુઃખ અપ્રિય લાગે છે એવી જ
– અસ્તિત્વ અને અહિંસા ૬૧ –
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org