________________
જઈને બેસી જતા તેનું સઘન નિરીક્ષણ કરતા અને તેને પૂછતા કહો, તમારું નામ શું છે ? તમારા ગુણધર્મો કયા કયા છે ? તમારો ઉપયોગ શો છે ? નિરીક્ષણ કરતાં કરતાં એક ક્ષણ એવી આવતી કે છોડ જાતે જ બધું કહી દેતો – મારું નામ આ છે, મારો ગુણધર્મ આ છે, હું અમુક બીમારીમાં ઉપયોગી છું વગેરે વગેરે. પ્રયોગશાળા વગર આ તમામ અન્વેષણો કરવામાં આવ્યાં અને છતાં તે સંપૂર્ણ સફળ હતાં. પરીક્ષણની ફલશ્રુતિ
આજે પ્રયોગશાળામાં વૈજ્ઞાનિક બેસે છે, પરીક્ષણ, નિરીક્ષણ અને પ્રયોગ કરતો રહે છે. એમ કરતાં કરતાં તે તથ્ય અને નિયમને પકડી લે છે. ગતવર્ષે જ એક ભારતીય વૈજ્ઞાનિકે એક જીવાણુની શોધ કરી છે. આજની એક મોટી સમસ્યા છે - સમુદ્રમાં તેલવાહક જહાજ ચાલ્યા કરે છે. ક્યારેક ક્યારેક તે જહાજ તોફાન વગેરેમાં ટકરાઈને તૂટી જાય છે. ટેન્કરનું બધું તેલ સમુદ્રની સપાટી ઉપર પ્રસરી જાય છે. સમુદ્રના જળની ઉપર તેલનું પડ જામી જાય છે. સમુદ્રનું પાણી કામનું નથી રહેતું. તે જીવોને નુકસાન પહોંચાડે છે. ભારતીય વૈજ્ઞાનિકે જે જીવાણુની શોધ કરી, જો તેને સમુદ્રમાં મૂકવામાં આવે તો તે સમુદ્રના જળ ઉપર પ્રસરેલા તેલને ખાઈ જાય છે અને સમુદ્રનું પાણી પુનઃ સ્વચ્છ બની જાય છે. મહત્ત્વપૂર્ણ સૂક્ત
જીવાણુની શોધનું આ કાર્ય સતત નિરીક્ષણ અને ગહન અનુસંધાન દ્વારા શક્ય બન્યું છે. એકાદ બે વખત જોવા કે વાંચવા માત્રથી સચ્ચાઈની ખબર પડી જતી નથી. જ્યારે દૃઢ સંકલ્પ અને સતત નિરીક્ષણનો યોગ થાય છે ત્યારે નિયમ અને સત્યની ખબર પડે છે. નિયમની માહિતી મેળવવાનું અને તેને પામવાનું ખૂબ મુશ્કેલ હોય છે. સત્યની પ્રાપ્તિ સહજ નથી, તેથી અન્વેષણનું મૂલ્ય વિશેષ છે. આજના વૈજ્ઞાનિક યુગમાં તે અધિક પ્રાસંગિક અને મૂલ્યવાન પુરવાર થયું છે.
એમ કહેવામાં આવ્યું કે ત્રાજવાનું અન્વેષણ કરો. પ્રશ્ન થયો કે ત્રાજવું શું છે ? તેનું નિરીક્ષણ – અન્વેષણ શી રીતે કરવું ? આચારાંગનું મહત્ત્વપૂર્ણ સૂક્ત છે
જે અદ્ભૂથં જાણઈ સે બહિયા જાણઈ ।
જે બહિયા જાણઈ સે અજ્મન્થે જાણઈ ।।
Jain Education International
-
-
અસ્તિત્વ અને અહિંસા . ૬૦
For Private & Personal Use Only
www.jainelibrary.org