________________
અન્વેષણ
ત્રીજું તત્ત્વ છે – અન્વેષણ – સતત નિરીક્ષણ. સતત નિરીક્ષણ વગર જ્ઞાન અને સત્યની પ્રાપ્તિ શક્ય નથી. હકીકતમાં સતત નિરીક્ષણ એ જ અનુસંધાન છે. એક, બે કે પાંચ વખત જોવું એ સતત સંધાન નથી હોતું. સતત સંધાન એટલે જ્યાં સુધી કોઈ વસ્તુના નિયમની ખબર ન પડે, ત્યાં સુધી તેને જોતા રહેવું. જો આપણે એક શ્લોકનો મર્મ સમજવો હોય તો તેને એકાદ બે વખત વાંચીને નહિ સમજી શકાય. આપણે તે શ્લોકને વાંચીએ, વાંચતા જ રહીએ અને ત્યાં સુધી વાંચતા રહીએ કે જ્યાં સુધી એ શ્લોક પોતે જ પોતાનો અર્થ પ્રગટ ન કરી દે. જ્યારે શ્લોક પોતાનો અર્થ રજૂ કરી દેશે ત્યારે આપણે તેના મર્મ સુધી પહોંચવામાં સફળ થઈ જઈશું.
અત્યંત મહત્ત્વપૂર્ણ સૂત્ર છે – ત્રાજવાનું અન્વેષણ કરો, શોધતા જાવ. જ્યાં સુધી ચાળણીમાં પાણી ન જામી જાય, નિયમની ખબર ન પડી જાય ત્યાં સુધી શોધતા જ રહો. આજે એ નિયમ જ્ઞાત છે કે જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હશે. એ અકાટ્ય નિયમ છે. પરંતુ જ્યાં અગ્નિ છે ત્યાં ધૂમાડો હોય જ એ જરૂરી નથી. અગ્નિ ધુમાડા વગર પણ હોઈ શકે છે, પરંતુ ધૂમાડો અગ્નિ વગર નથી હોતો. આ એક સામાન્ય નિયમ લાગે છે પરંતુ એ નિયમની સમજ પડવામાં કોણ જાણે કેટલી બધી પેઢીઓ ખપી ગઈ છે અને કોણ જાણે કેટલા બધા વિદ્વાનોને ખપી જવું પડ્યું છે ! જરૂરી છે પ્રયત્નનું સાતત્ય
- જ્ઞાનપ્રાપ્તિ માટે સતત પ્રયત્ન કરવો પડે છે. એ વગર જ્ઞાનની પ્રાપ્તિ શક્ય નથી. જ્ઞાનપ્રાપ્તિ માટે સૌપ્રથમ નિરીક્ષણ કરવાનું હોય છે. આપણે જેમ જેમ નિરીક્ષણ કરીશું તેમ તેમ તથ્યોની ખબર પડતી જશે. તથ્યોનું નિરીક્ષણ કરવું અત્યંત જરૂરી છે. આપણે એક કપડું હાથમાં લઈએ અને તેનું નિરીક્ષણ કરતા રહીએ તો થોડીક ક્ષણો પછી કપડાનો રંગ બદલાવા લાગશે. જ્યારે આપણું નિરીક્ષણ તેના ઉપર સઘન રૂપે કેન્દ્રિત થશે ત્યારે કપડું પોતે જ પોતાની ગાથા કહેવા લાગશે – હું શું છું, હું શેમાંથી બન્યું છું અને હું કેવું છું વગેરે તમામ વાતો કપડું કહી દેશે. જે સાંભળીને આપણે આશ્ચર્ય અનુભવીશું. ધવંતરિ અને લુકમાને છોડના ગુણધર્મની માહિતી કેવી રીતે મેળવી હતી ? તેઓ છોડ પાસે
- અસ્તિત્વ અને અહિંસાનું ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org