________________
ત્રાજવાનાં બે પક્ષ
ત્રાજવું પ્રતિક્તિ છે. એ તોલનારો બહુ મોટો છે કે જે બીજાઓને તોલી શકે. ત્રાજવાની સાથે સમતાની વાત જોડાયેલી છે. ન્યાયની વાત જોડાયેલી છે. ત્રાજવાનાં બન્ને પલ્લાં સમાન હોવાં જોઈએ. સમતા માટે ત્રાજવાની ઉપમા પ્રયોજાઈ છે અને ન્યાય માટે પણ ત્રાજવાની ઉપમા પ્રયોજાઈ છે. જો કે આપણા કવિઓએ ત્રાજવામાં પણ દોષ નિહાળ્યો છે – હે ત્રાજવા ! તું પ્રામાણિક છે, સૌને બરાબર માપે છે. છતાં તું ન્યાય નથી કરતું. કારણ કે જે ભારે હોય છે એને તું નીચે લઈ જાય છે અને જે હલકું હોય છે તેને તું ઉપર લઈ જાય છે.
પ્રામાણિક પદ ગણી તુલા, યહ તુમ કરતા અન્યાય /
અધ પદ દેત ગરિષ્ઠ કો, લઘુ ઉન્નત પદ પાય // અનવ્યવસાય : પ્રત્યભિજ્ઞાાન
આચારાંગમાં પણ ત્રાજવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે – એયં તુલમસિં' આ ત્રાજવાનું અન્વેષણ કરો. ત્રાજવાનું સંધાન સફળ હોવું જોઈએ. એમ નથી કહ્યું કે આ ત્રાજવાને જુઓ. આપણા જોવાની પ્રક્રિયાનું એક નામ છે અધ્યવસાય. માણસ બજારમાં જાય છે, હજારો ચીજો જુએ છે. એને પૂછવામાં આવે કે અમુક દુકાનમાં કઈ કઈ ચીજો હતી ? તો એ જવાબ આપશે કે મને ખબર નથી. બજારમાં હજારો લોકો મળે છે. કોઈ વ્યક્તિને પૂછવામાં આવે કે તમે કેટલા લોકોને જોયા ? તમને કેટલી વ્યક્તિઓ મળી ? તો એ એનો સાચો - સમ્યક ઉત્તર આપી નહિ શકે. આ દર્શનનું નામ છે અનધ્યવસાય. જેની સાથે અધ્યવસાય જોડાતો નથી, તેને ઓળખી શકાતો નથી.
બીજું તત્ત્વ છેપ્રત્યભિજ્ઞાન. ક્યારેક વ્યક્તિ બીજી વ્યક્તિનું નામ - સરનામું પૂછી લે છે અને જ્યારે એ ફરીથી મળે છે ત્યારે એને ઓળખી પણ લે છે. એ છે પ્રત્યભિજ્ઞાન-ઓળખવવા જેવું નિરીક્ષણ.
અનધ્યવસાય અને પ્રત્યભિજ્ઞાન - આ બન્નેમાંથી કોઈ સાર્થક નિષ્પત્તિ મળતી નથી.
અસ્તિત્વ અને અહિંસા, ૫૮ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org