SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ વડે સાંભળીને આપણે પોતાની ભાવના વ્યક્ત કરીએ છીએ. જીભ વડે બોલીને આપણે પોતાની વાત કહીએ છીએ. જે વ્યક્તિ અંધ પણ હોય, બહેરી અને મૂક પણ હોય તે ન બોલી શકે છે ન જોઈ શકે છે કે ન સાંભળી શકે છે. એવા પ્રાણીને જો કોઈ પજવે તો શું તેને પીડા થાય છે ખરી ? હા ભંતે, થાય છે. કેવી રીતે થાય છે ? ભંતે ! કષ્ટ થાય જ છે પરંતુ તે એને વ્યક્ત કરી શકતું નથી. ભગવાને કહ્યું – એવી જ રીતે સૂક્ષ્મ જીવોને આઘાત આપવાથી તેમને કષ્ટ થાય છે પરંતુ તેમની પાસે ન તો કાન છે, ન આંખો છે કે ન તો જીભ છે. તેમની પાસે એવું કોઈ સાધન નથી કે જેના દ્વારા તેઓ પોતાની વેદનાની અભિવ્યક્તિ કરી શકે. તેમનામાં પણ નિરંતર પ્રાણ ધારા વહી રહી છે, તેથી વેદના તો થાય જ. આજના વૈજ્ઞાનિકોએ પ્રાણધારાને કોસ્મિક રે- જાગતિક પ્રાણશક્તિ એવું નામ આપ્યું છે. તેને તમામ પ્રાણીઓ ભોગવી રહ્યાં છે. સંદર્ભ મૂચ્છિત વ્યક્તિનો આયતુલે પયાસુ” પ્રત્યેક પ્રાણીને પોતાના આત્મા સમાન સમજો – આવી અનુભૂતિ જેમને થઈ ગઈ તેમના માટે હિંસા કરવાનું અશક્ય બની ગયું. આપણે વનસ્પતિની વાત જવા દઈએ, પરંતુ આજે માણસ માણસને જ મારી રહ્યો છે. મહાવીરે બીજું ઉદાહરણ આપ્યું - એક માણસ મૂચ્છિત થઈ ગયો. પ્રશ્ન છે કે મૂચ્છની અવસ્થામાં તેને કષ્ટ થાય કે નહિ. આપણને તેની ખબર નથી પડતી, પરંતુ અંતઃચેતનામાં તે કષ્ટનું વેદન અવશ્ય કરે છે. એક જ્ઞાનની શક્તિ હોય છે જે મૂચ્છિત અવસ્થામાં પણ વાતને પકડી લે છે. એને આધારે જ તેમણે કહ્યું કે જેવી રીતે મૂચ્છિત વ્યક્તિ કષ્ટનો અનુભવ કરે છે, પણ તેને વ્યકત નથી કરી શકતી – એવી જ રીતે સૂક્ષ્મ જીવો કષ્ટનો અનુભવ તો કરે છે – ભલે તે એને વ્યક્ત કરી શકે કે ન કરી શકે. આચારાંગ સૂત્રમાં આ ઉદાહરણો દ્વારા સૂક્ષ્મ જીવોની સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. આધુનિક વૈજ્ઞાનિક પ્રયોગો આ સંવેદનાના તથ્યને વિશેષ સ્પષ્ટ કરી રહ્યા છે. આ સુખ-દુઃખની અનુભૂતિના સંદર્ભમાં “મોડર્ન રિસર્ચ” પુસ્તકમાં જે વ્યાપક વિશ્લેષણ કરવામાં આવ્યું - —*- અસ્તિત્વ અને અહિંસાન. ૩૦ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy