________________
પ્રયોગ સામ્યવાદી દેશોના
છોડ આપણા મસ્તિષ્કના ભાવોને પણ પકડી લે છે, હજારો પ્રયોગો પછી વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છે. આ સંદર્ભમાં વૈજ્ઞાનિકોએ અત્યંત વિચિત્ર પ્રયોગો કર્યા છે. સોવિયેત કોમ્યુનિસ્ટ પાર્ટીએ છોડવાઓને પોતાની પાર્ટીના સભ્યો તરીકે જાહેર કર્યા છે. અન્ય સામ્યવાદી દેશોમાં પણ પરિવર્તનો થયાં છે, દૃષ્ટિકોણ બદલાયો છે. જેમ જેમ પેરાસાઈકોલોજીનો વિકાસ થયો તેમ તેમ વનસ્પતિ જગતના પ્રયોગો સામે આવ્યા, સૂક્ષ્મ સત્યોની માહિતી મળી તો આસ્થાઓ ખળભળી ઊઠી. અનેક વખત વિરોધ પણ થયો – આ પ્રયોગો બંધ કરી દો નહિતર માર્કસવાદનાં મૂળિયાં કાઢી નાખીશું! આપણે જ્યાં સુધી ઈન્દ્રિય જગતમાં, ઘૂળ જગતમાં રહીએ છીએ ત્યાં સુધી આપણી કલ્પનાઓ ચાર્વાકની કલ્પનાઓ બની રહે છે- આપણે કોઈ લેવાદેવા નથી, મજાથી રહેવું છે, મન ફાવે તેમ કરવું એ જ જીવનનો સાર છે. પરંતુ જ્યારે આપણે સૂક્ષ્મ સત્યોને જાણીએ છીએ, આપણી કલ્પનાઓ બદલાઈ જાય છે, આપણો દરજ્જો મોટો થઈ જાય છે ત્યારે વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે. તે એમ વિચારે છે કે આ જગતમાં બીજાઓ પણ છે, હું એકલો જ નથી તેથી મારે સંયમ રાખવો જોઈએ. જીવ-સંયમનો પ્રશ્ન
મહત્ત્વનો પ્રશ્ન છે કે આ જીવસંયમ અને અજીવસંયમનો સિદ્ધાંત શા માટે આવ્યો ? આ જીવસંયમનો સિદ્ધાંત પર્યાવરણનો સિદ્ધાંત છે. જીવ પ્રત્યે સંયમ કરો. જીવસંચમ ત્યારે આવશ્યક લાગ્યો કે જ્યારે સૂક્ષ્મ સત્યો જાણવામાં આવ્યાં. આજે આપણી સમક્ષ લાઈ ડિટેક્ટર, પોલીગ્રાફ વગેરે અનેક યંત્રો છે પરંતુ એ જમાનામાં સૂક્ષ્મ વાતોને જાણવાનું કોઈ યંત્ર નહોતું. માત્ર પોતાની અતીન્દ્રિય ચેતના વડે તમામ વાતો પકડવામાં આવી હતી.
મહાવીરે કહ્યું – તમે જુઓ. વનસ્પતિ વગેરેમાં અવ્યક્ત ચેતના છે. તેમની ચેતના વ્યક્ત નથી. તેમને કષ્ટ કેવી રીતે થાય છે. સુખની અનુભૂતિ કેવી રીતે થાય છે. આ બધું ધૂળ ઉદાહરણની ભાષામાં સમજાવ્યું. તેમણે કહ્યું કે કોઈ માણસ આંખે આંધળો હોય, વાણીથી મૂક હોય અને કાનથી બહેરો હોય. આંખ અને કાન આ બન્ને ઈન્દ્રિયો ન હોવાનો અર્થ છે કે જગતના સંપર્કનો વિચ્છેદ. આંખોથી જોઈને કે કાન
– અસ્તિત્વ અને અહિંસા - ૨૯ --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org