________________
શક્તિનું કારણ છે મૌન
એ વ્યક્તિ મહાન છે કે જે આવેશના વાતાવરણમાં પણ મૌન રહેવાનું શીખી લે છે. ઇતિહાસમાં એવી અનેક ઘટનાઓ મળે છે જેથી આ વાત સ્પષ્ટ અને સત્ય પુરવાર થાય છે. તેરાપંથના ઇતિહાસમાં પણ એવી અનેક ઘટનાઓ ઉપલબ્ધ છે. જ્યારે માણસ આવેશથી ભરાયેલો રહેતો ત્યારે ગણાધિપતિ મૌન રહેતા. જ્યારે માણસના મનનો ઊભરો ઠલવાઈ જતો, તેના ભીતરમાં એકત્ર થયેલો આક્રોશ વહી જતો ત્યારે ગણાધિપતિ સંબોધ દ્વારા સાચા માર્ગે વાળી દેતા. ગણાધિપતિ તુલસીના જીવનમાં પણ એવી અનેક ઘટનાઓ ઘટી. મેં જોયું કે, તેઓ અનેક ઉત્તેજનાપૂર્ણ સંજોગોમાં મૌન ધારણ કરી લેતા. જો તેઓ મોન ના રહ્યા હોત તો પરિસ્થિતિ સુધરવાને બદલે વિશેષ વિકટ બની જાત. મૌન વિગ્રહની સ્થિતિમાં શાંતિનું કારણ બની જાય છે. અનાગ્રહનો દષ્ટિકોણ
- ભગવાન મહાવીરે જે વિવેક આપ્યો, એનું તાત્પર્ય એ છે કે મુનિ બોલતા હોય કે મૌન હોય છતાં તેનું લક્ષ્ય તો સત્યની સુરક્ષાનું જ હોવું જોઈએ. મહાવીરે એવાં સત્ય વચનોનો પણ નિષેધ કર્યો, જે પ્રાણીને ઉપઘાત પહોંચાડનારાં હોય. તેમણે અહિંસા અને સત્યના સંદર્ભમાં ભાષાવિવેકનું દર્શન આપ્યું. ન્યાયદર્શનનો સિદ્ધાંત હતો કે, વાણીનો ભલે ગમે તેવો પ્રયોગ કરો, પ્રપંચ કે કપટ ભલે કરો પરંતુ વાદીને જીતી લો. ભગવાન મહાવીરે આ સિદ્ધાંત સ્વીકાર્યો નહિ. મહાવીરે કહ્યું કે, તમારી સમક્ષ કોઈ પ્રશ્ન ઉદ્ભવે, તમને તેના ઉત્તરની ખબર હોય અથવા તો તમે એ પ્રશ્નનો ઉત્તર આપવામાં સક્ષમ હો તો જ ઉત્તર આપો, નહિતર ચૂપ રહી જાવ. અથવા એમ કહી દો કે, હું જાણતો નથી. આપ મારા ગુરુ પાસેથી એનું સમાધાન મેળવી લો. પરંતુ ગમેતેમ કરીને જીતવાનો કે સમાધાન આપવાનો પ્રયત્ન કરવો એ ઠીક વાત નથી. મહત્ત્વપૂર્ણ સૂત્રઃ
' મહાવીરે અનાગ્રહ વૃત્તિ સહિત આ વાત સમજાવી. એ કેવો અનાગ્રહનો દૃષ્ટિકોણ છે કે હું આ વિષયમાં જાણતો નથી, આપ અન્ય કોઈની સાથે પરામર્શ કરો !” આપણે કોઈ પણ બાબતે વિવાદ ન કરવો જોઈએ. પોતાની જ વાતનો આગ્રહ ના રાખવો જોઈએ. પોતાની વાત
– અસ્તિત્વ અને અહિંસા ક ૨૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org