SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાઓ ઉપર લાદવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. આપણે સામેની વ્યક્તિની મનઃસ્થિતિને જોઈએ, વિવાદ અને વિગ્રહની સ્થિતિ જણાય તો મૌન થઈ જવું એ કલહથી બચવાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. હકીકતમાં ચર્ચા કરવી, પ્રશ્નોત્તરી કરવી, શાસ્ત્રાર્થ કરવો એ કોઈ સામાન્ય વાત નથી. તે માટે પૂરી તૈયારી હોવી જોઈએ. એ એક શુદ્ધ નીતિની વાત છે કે જે વિષયની પૂર્ણ તૈયારી હોય, પૂર્ણ જાણકારી હોય એ જ વિષય ઉપર આપણે સાધિકાર ચર્ચા કરવી જોઈએ. જે વિષયની જાણકારી ના હોય, જે વિષયની ચર્ચા કરવામાં આપણે સક્ષમ ના હોઈએ, તે વિષય ઉપર આપણે કોઈ વિવાદમાં પડવું ના જોઈએ; ચર્ચા-પરિચર્ચામાં અટવાવું ના જોઈએ. લહમુક્તિનો પ્રયોગ ભગવાન મહાવીરે આ તમામ સંદર્ભમાં કહ્યું કે જેનામાં સમજાવવાની ક્ષમતા હોય, જે સમજાવી શકે, જેને સમજાવવાનો છે. તેનામાં સમજવાની યોગ્યતા હોય, સમજવાની આબોહવા હોય, આ તમામ બાબતો હોય ત્યારે જ મુનિએ પોતાની વાત સમજાવવી જોઈએ. નહિતર તેણે મૌન રહેવું જોઈએ. મહાવીરે કહ્યું કે તમે એ જુઓ કે, જેને હું સમજાવી રહ્યો છું તે કોણ છે ? કયા દર્શનનો અનુયાયી છે? તમારે એ જાણ્યા પછી જ ધર્મચર્ચા કરવી જોઈએ. કોઈ અન્ય ધર્મના સિદ્ધાંતો કે ઇષ્ટ વ્યક્તિનો અનાદર કરવાથી કોઈક વ્યક્તિ ગુસ્સે થઈ શકે છે. કલહની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એવી જગ્યાએ મૌન રહેવું હિતાવહ છે.જ્યાં મૌનનો પ્રસંગ આવે ત્યાં મૌન કરી લો તો વિગ્રહની સમગ્ર સંભાવના જ સમાપ્ત થઈ જાય. કલહનું નિવારણ કોનાથી થાય ? કલહ નિવારણનો સર્વોતમ ઉપાય મૌન છે. મેં અનેક વ્યક્તિઓને એવી સલાહ આપી કે જ્યારે કલહનો પ્રસંગ આવે ત્યારે તમારે મૌન થઈ જવું. આ પ્રયોગ ખૂબ સફળ પુરવાર થયો. એ પ્રયોગ પણ ખૂબ સાર્થક થઈ શકે કે જ્યારે પણ કોઈ કલહનો પ્રસંગ આવે, ઘરમાં કલહની સ્થિતિ પેદા થાય તો પાંચ-દસ મિનિટ ખેચરી મુદ્રા સહિત દીર્ધ શ્વાસપેક્ષાનો પ્રયોગ કરો. જો વ્યક્તિ ખેચરી મુદ્રાનો પ્રયોગ કરે તો બોલી નહિ શકે. પાંચ મિનિટ નહિ બોલવાનું પરિણામ હંમેશાં કલહની સમાપ્તિ જ આવશે. પાંચ મિનિટનું મૌન કલહના પ્રસંગને જ દૂર કરી દે છે ! - અસ્તિત્વ અને અહિંસા - ૨૬૩ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy