________________
નથી, સંસ્કારોને પ્રકંપિત કરનારી નિર્જરાની દૃષ્ટિ મળતી નથી ત્યાં સુધી સમતાની ચેતના જાગતી નથી, વિષમતાના જે ઊંડા સંસ્કારો જામેલા છે તે છૂટતા નથી. ઈગો અને અહંકાર વ્યક્તિને પજવતા રહે છે. ફ્રોઈડ ઈગો સુધી પહોંચ્યા. ચૂંગ ઈગોથી પર ગયા, આત્માની નજીક પહોંચી ગયા. આત્માની નજીક પહોંચ્યા વગર સમતાની વાત આવતી નથી. તે આત્મદર્શનની સાથે જ આવે છે. ધૂતવાદઃ અનેક પ્રયોગો
આ અવધૂતનું ર્શન એક નવું જીવન દર્શન છે, પ્રજ્ઞા અને સમતાના જાગરણનું દર્શન છે. જીવનમાં જ્યારે અવધૂતનું દર્શન પ્રગટ થાય છે ત્યારે સાચા અર્થમાં ધૂત થાય છે. વસ્ત્રનું ધૂત, પરિવારનું ધૂત, ઠંડીગરમીનું ધૂત આ બધા કુંડલિની શક્તિને જગાડવાના મોટા પ્રયોગો છે. વસ્ત્ર રાખવું કે ન રાખવું તે અલગ વાત છે, પરંતુ એ વાત ઉપર ધ્યાન આપવું જોઈએ કે વસ્ત્ર રાખવાથી પ્રકૃતિ સાથે સંપર્કમાં જે એક અવરોધ પેદા થાય છે, તે વસ્ત્ર ન રાખવાથી દૂર ખસી જાય છે. અચેલ અવસ્થામાં પ્રકૃતિની સાથે જે સીધો સંપર્ક થાય છે, ચેતનાના જાગરણનો જે અવસર ઉપલબ્ધ થાય છે, તે સવસ્ત્ર અવસ્થામાં નથી થતો. સ્મશાનનું પણ ધૂત હોય છે. સ્મશાનમાં જઈને ધ્યાન કરવું એ સાધનાનો એક વિશિષ્ટ પ્રયોગ છે. જૈન આગમ સાહિત્યમાં સ્મશાન-પ્રતિમાનો ઉલ્લેખ છે. એક રાત્રિની સ્મશાન પ્રતિમાને સહન કરવી મુશ્કેલ છે. એ ભયંકર સાધના છે. એ અનિવાર્ય છે કે સ્મશાન પ્રતિમામાં કોઈ ને કોઈ વિદન અચૂક આવશે. જે વ્યક્તિ તેને સહન કરી લે છે, તેને વિશેષ સિદ્ધિ મળી જાય છે અને જે વિચલિત થઈ જાય છે, તે પાગલ બની જાય છે. અવધૂત દર્શનઃ નિષ્કર્ષ
અવધૂતનું દર્શન છે – ચેતનાનું ઊર્ધ્વરોહણ થાય, પ્રજ્ઞા અને સમાધિ જાગે, સમતાની ચેતના જાગે. અવધૂત દર્શનનો નિષ્કર્ષ છેઆત્મા સુધી પહોંચવું હોય તો ચેતનાને ઉપર લઈ જવી પડશે. આપણી ચેતના નાભિથી જેટલી ઉપર રહેશે એટલું જ સહજ સુખ, એટલો સહજ આનંદ અને એટલી સહજ શક્તિનું જાગરણ થશે. આપણી ચેતના નાભિની આસપાસ અથવા તેની નીચે કેન્દ્રિત રહેશે તો સ્વાભાવિક સુખ
——- અસ્તિત્વ અને અહિંસા , ૨પર ––
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org