________________
અંદરની દરિદ્રતા વધી ઓ છે
આપણે આજની સમસ્યા જોઈએ. જાપાન, અમેરિકા જેવા સંપન્ન દેશો ધનની દૃષ્ટિએ સમૃદ્ધ બની રહ્યા છે, પદાર્થ અને વૈભવની દૃષ્ટિએ સમૃદ્ધ બની રહ્યા છે. તેઓ કૃત્રિમ સાધનોના નિર્માણમાં નવાનવા પ્રયોગો કરી રહ્યા છે. આજે જ એક સમાચારપત્રમાં મેં વાચ્યું કે એક એવા માનવીનું નિર્માણ થશે જેનું અડધું શરીર જન્મનું હશે અને અડધું શરીર યાંત્રિક હશે. માત્ર નાડીયંત્ર અને મસ્તિષ્ક મૂળ રહેશે, બાકીનું સમગ્ર શરીર કૃત્રિમ હશે. બહાર માટે આટલું બધું કરવામાં આવી રહ્યું છે, પરંતુ અંદરની દૃષ્ટિએ વ્યક્તિ દરિદ્ર બની રહી છે. માણસ દુઃખી બની રહ્યો છે, અશાંતિ અને તનાવનું જીવન જીવી રહ્યો છે એનું કારણ એ છે કે વ્યક્તિ બહાર સુવિધાઓનો ઢગલો કરી રહી છે અને એ ઢગલો જ આંતરિક મૂર્ખામી કે અંશાતિને વધારી રહ્યો છે. જો તે બહારની મુક્લીઓ સહન કરવાનું શીખી જાય, તો આનંદનું સૂત્ર હસ્તગત થઈ જાય.
અંદર : બહાર
યોગના સંદર્ભમાં એમ કહેવામાં આવ્યું કે જ્યારે યોગની સાધના શરૂ થાય છે ત્યારે અંતરમાં દુઃખ થાય છે, બહારમાં સુખ થાય છે.
જ્યારે યોગ સાધના સિદ્ધ થઈ જાય છે ત્યારે અંતરમાં સુખ જ સુખ થાય છે, બહારમાં કષ્ટ જોવા મળે છે. કંઈક એવું જ છે- જેમ જેમ પદાર્થોનો ઢગલો મોટો થતો જાય છે, સુવિધાઓ વધતી જાય છે તેમ તેમ બહાર માત્ર સુખ જ સુખ દેખાય છે, પરંતુ ભીતરમાં દુઃખોની હારમાળા બની જાય છે. જેમ જેમ આ મોટાપો, આ ગુરુતા ઘટતી જાય છે તેમતેમ ભીતરનું સુખ વધતું જાય છે, બહાર મુશ્કેલીઓનો અનુભવ થાય છે. જો મહાવીરને ભીતરમાં કષ્ટ હોત તો તેઓ બાર વર્ષ સુધી સાધનાનું કઠોર જીવન જીવ્યા ન હોત. જ્યારે આંતરિક આનંદનું રહસ્ય . જડી જાય છે ત્યારે કષ્ટની અનુભૂતિ ક્ષીણ થઈ જાય છે. લોકોને એમ - લાગે છે કે કેટલું બધું કષ્ટ છે ! જ્યારે વ્યક્તિ એમ વિચારે છે કેટલો બધો આનંદ છે ! હળવા બનો આપણે આ રહસ્યને સમજી લઈએ. આ પદાર્થ અને ધનની
– અસ્તિત્વ અને અહિંસા , ૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org