________________
મોટાઈ, સત્તા અને શરીરની મોટાઈ જ્યાં સુધી રહેશે, ત્યાં સુધી અશાંતિ અને તનાવથી મુક્તિ નહિ મળી શકે. કોઈ સાધુ પણ આ સમસ્યાથી બચી શકતો નથી. પદાર્થની પ્રકૃતિ જ એવી છે કે તે સંઘર્ષનું કારણ બની જાય છે. જો પદાર્થની સાથે મમત્વ જોડાઈ જાય તો તે અધિક ખતરનાક બની જાય છે. આપણે એ સચ્ચાઈનું અનુશીલન કરીએ કે પદાર્થે કઈ વ્યક્તિને મૂચ્છમાં ધકેલી નથી ? એ જ વ્યક્તિ મૂર્છાથી બચી શકે છે કે જે લઘુ બનતી રહે છે. તેથી મહાવીરે કહ્યું કે હળવા બનો, મોટા ન બનો. જીવનના કલ્યાણનું આ મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. જે વ્યક્તિએ હળવાપણાનો અનુભવ કર્યો છે, લઘુતાની દિશામાં પ્રસ્થાન કર્યું છે, ખરેખર તે દુઃખો પાર કરી ગઈ છે, એણે કષ્ટોમાંથી મુક્તિનો માર્ગ પસંદ કરી લીધો છે.
- અસ્તિત્વ અને અહિંસા , ૨૪૦ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org