________________
જાણી લેવું જોઈએ કે કેટકેટલાં જ્ઞાન અને અજ્ઞાત તત્ત્વોના શ્રમ થકી આપણું જીવન બન્યું છે. એમના શ્રમ પ્રત્યે આપણે કૃતદન ન બનવું જોઈએ. ધર્મ છે સંવર
આપણે એ સચ્ચાઈને જાણીએ કે આ જીવન શું છે. પોતાના જીવનની વ્યાખ્યા સમજવી એ ગહન દર્શન છે. આપણે પોતાને જાણીએ, પોતાના જીવનને જાણીએ, જીવનની વ્યાખ્યાને જાણીએ, જીવનના ધર્મને જાણીએ. મહાવીરે આ તમામને જાણીને જે ધર્મદર્શન રજૂ કર્યું. તેને એક શબ્દમાં કહીએ તો એ છે સંવર-સંયમ. આત્માનો સંવર કરો, સંયમ કરો, એ જ ધર્મ છે. આ ધર્મને સમજીને આપણે આજ્ઞાનું પાલન કરીએ. એ જ આપણું કર્તવ્ય છે કારણ કે કર્તવ્ય આજ્ઞા વગર ફલિત થતું નથી.
જ્યારે કર્તવ્યચેતના જાગે છે, ત્યારે ગુરુનો આદેશ, હિત-અહિતની વાત સમજાઈ જાય છે. કર્તવ્યની ચેતનાને જગાડવાનું સૂત્ર છે- આજ્ઞાનું જાગરણ. આજ્ઞા જાગૃત હશે તો ધર્મ સમજાશે, સંયમ અને સંવરની સાર્થકતા સમજાશે, “આણાએ મામગ ધમ્મ – આ સૂક્તનું રહસ્ય ઉપલબ્ધ થઈ જશે.
અસ્તિત્વ અને અહિંસા ન ૨૩૪
~--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org