SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પામવા માટે મેં જે માર્ગ, જે પદ્ધતિ નિશ્ચિત કરી તે મારી શોધ છે. એનું તાત્પર્ય એ છે કે આત્માને પામવા માટે જે જાગતિક નિયમ મેં શોધ્યો છે, તેને સમજો. મહાવીરે પોતાની સાધના દ્વારા,પોતાના શ્રમ દ્વારા, જે નિયમો શોધ્યા છે, તે મહાવીરનું મૌલિક અવદાન છે. આજ્ઞા : મૂળ ધર્મ આપણે આજ્ઞાને મોટેભાગે નિયામક ભાષામાં જ સમજીએ છીએ. હકીકતમાં આજ્ઞા એટલે જાણવું. આજ્ઞાની વ્યાખ્યા આપવામાં આવીઆ સમત્તાત્ જ્ઞાયત્તે અતીન્દ્રિયાઃ પદાર્થો યેન સા આજ્ઞા જેનાથી અતીન્દ્રિય પદાર્થને જાણી શકાય છે તેનું નામ છે આજ્ઞા. ભગવાન મહાવીર શ્રદ્ધાના નહિ, જ્ઞાનના મહાન સમર્થક હતા. શ્રદ્ધાનો અર્થ છે ઘનીભૂત ઇચ્છા. જ્ઞાન વગર શ્રદ્ધા કયાંથી આવશે ? પ્રથમ જ્ઞાન, પછી શ્રદ્ધા. આપણે વસ્તુને યથાર્થ રૂપમાં જાણીએ. જાણ્યા પછી આચરણનો પ્રશ્ન પ્રસ્તુત થાય છે, અનુશીલન અને અનુપાલનનો પ્રશ્ન પ્રસ્તુત થાય છે. મહાવીરે કહ્યું કે પ્રથમ જાણો-કર્મને જાણો, જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષને જાણો, નવ પદાર્થોને જાણો. નવ પદાર્થને જાણ્યા વગર ધર્મની વાત સમજી શકાતી નથી. આપણે જ દ્રવ્યને જાણીશું તો સમ્યક્રર્શન થઈ જશે, પરંતુ સમ્યક્ આચરણની વાત સમજાશે નહિ. ધર્મને જાણવો હોય તો નવ પદાર્થોને જાણવા જ પડશે. અસ્તિત્વવાદઃ ઉપયોગિતાવાદ નવ પદાર્થ સાધનાનો માર્ગ છે, ષડુ દ્રવ્ય અસ્તિત્વનો માર્ગ છે. દર્શનનાં બે અંગ હોય છે-અસ્તિત્વવાદ અને ઉપયોગિતાવાદ. અસ્તિત્વવાદને જાણવો અર્થાત- જીવ છે, અજીવ છે, આકાશ અને પુદ્ગલ છે એમ જાણી લેવું. જે ઉપયોગિતાવાદી છે એણે જાણવું પડશે કે કયું દ્રવ્ય, કયું તત્ત્વ મારા લાભનું છે ? એનાથી શી રીતે હું લાભ મેળવી શકું તેમ છું. આવી હિતાહિતના વિવેકની પ્રક્રિયા, અનુશીલન અને આસેવનની પ્રક્રિયા ઉપયોગિતાવાદી દૃષ્ટિકોણથી ફલિત થાય છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું, “હું દરરોજ સો વખત મારી જાતને એવી ભાવનાથી ભાવિત કરું છું કે –તું જો ! તારું જીવન કેટલાં બધાં લોકોના શ્રમથી બન્યું છે ! તેથી તું શ્રમ કર, નકામો બેસી ના રહીશ. જો તું શ્રમ નહીં કરે તો તું તે તમામ પ્રત્યે તદન બની રહીશ.” આપણે - અસ્તિત્વ અને અહિંસા ૪ ૨૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy