________________
વિશાળ દુનિયા છે ! એ આ જોઈને આવાક્ બની ગયો. તેના મનમાં વિકલ્પ જાગ્યો કે હું એકલો જ આ દૃશ્ય જોઈ રહ્યો છું. મારે મારા પરિવારને પણ આ દશ્ય બતાવવું જોઈએ. એ બધાં આશ્ચર્યમાં ડૂબી જશે. કાચબાએ તળાવમાં ડૂબકી મારી. તે પોતાના પરિવારને બોલાવી લાવ્યો. હવે તે સ્તબ્ધ બની ગયો કારણ કે પાણી ઉપર પુનઃ લીલ છવાઈ ગઈ હતી અને આકાશ દેખાતું બંધ થઈ ગયું હતું. આકાશ જોવા માટે જે અનુકૂળતા ઊભી થઈ હતી તે બંધ થઈ ગઈ. કાચબો નિરાશ થઈ ગયો. પોતાના પરિવારને હવે તે શું બતાવે ? કેવી રીતે બતાવે ? કાચબો ફરીથી આકાશ જોઈ ન શક્યો.
બીજો સંદર્ભ આપણે
આ વાતને બીજા સંદર્ભમાં જોઈએ. એક વ્યક્તિ મોટા લક્ષ્ય સાથે ચાલી. થોડાં આવરણ ખસ્યાં, અનુકૂળતા ઊભી થઈ ગઈ, આત્માની ઝલક જોવા મળી ગઈ. તે આગળ ચાલી નીકળ્યો. પરંતુ કોઈક એવી લીલ છવાઈ ગઈ - મોહ કે મૂર્છાની પ્રબળ લીલ છવાઈ ગઈ. એ પડ તોડવાનું કે તેને ભેદવાનું ખૂબ મુશ્કેલ બની ગયું. કયારેક ક્યારેક એવું બને છે કે એક માણસ વિચારે છે “હું સાધુ બનું, મોહ -માયા છોડી દઉં. તેના મનમાં આવો વિચાર આવે છે અને તે એ દિશામાં ચાલી નીકળે છે, પરંતુ જ્યારે મોહની સઘન સપાટી આડી આવે છે, ત્યારે વ્યક્તિ લક્ષ્યથી ભટકી જાય છે. વ્યક્તિ એ સઘન સપાટી નીચે દબાતી જાય છે. આવી સ્થિતિ એટલા માટે બને છે કે એનો પુરુષાર્થ મંદ બની ગયો હોય છે. પુરુષાર્થ સાપેક્ષ છે – ક્ષયોપશમ
આપણા ક્ષયોપશમની સ્થિતિ પુરુષાર્થ સાપેક્ષ છે. સતત પરાક્રમ, પુરુષાર્થ અને વીર્યનો પ્રયોગ ચાલતો રહે, હાથ સતત હાલતા રહે તો માણસ તરી શકે. જ્યાં સુધી હાથ હાલતા રહેશે ત્યાં સુધી ક્ષયોપશમ કામ કરશે. હાથ હલવાના બંધ થશે કે તરત જ ક્ષયોપશમ પણ બંધ થઈ જશે, તે ઉદયમાં બદલાઈ જશે, ઉદય સક્રિય બની જશે. કર્મ અને ચેતના એ બંને તંત્ર છે. એક સક્રિય થાય છે તો બીજું નિષ્ક્રિય બની જાય છે. બીજું સક્રિય થાય છે તો પહેલું નિષ્ક્રિય બની જાય છે. કયારેક કર્મનો પ્રભાવ સક્રિય થઈ જાય છે અને કયારેક ચેતનાનો પ્રભાવ સક્રિય · થઈ જાય છે. ક્ષયોપશમની સક્રિયતા પુરુષાર્થ સાથે જોડાયેલી છે.
અસ્તિત્વ અને અહિંસા : ૨૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org