________________
તો ક્યારેક ક્ષમાની સાધના કરીને ક્ષમાનું માનસિક ચિત્ર બનાવ્યું. તો વળી ક્યારેક વિનમ્રતાનું ચિત્ર બનાવ્યું. કારણ કે ધર્મના ક્ષેત્રમાં વિકલ્પનો નાશ કરવા માટે સારો વિકલ્પ લેવો પણ જરૂરી છે. આ વિકલ્પોનું નિર્માણ કરવું તે આપણી ધાર્મિક ચેતનાનું કામ છે. અસત્ યોગ, અસત્ પ્રવૃત્તિ અને અસત્ વિકલ્પનો નાશ કરવા માટે સત્યોગ, સત્ વિકલ્પ, સત્ પ્રવૃત્તિનું ચિત્ર બનાવવું, આચરણ કરવું, એ આપણો ધર્મ છે અને તેને પ્રતિબિંબિત કરવા માટે ઘૂંટવાનું કામ કરવું તે આપણું અધ્યાત્મ છે. ઘૂંટવાનું કામ પૂરું થઈ જશે તો ધર્મ તેમાં આપોઆપ ચિત્રિત- પ્રતિબિંબિત થઈ જશે. આચરણ આપોઆપ પ્રતિબિંબિત થઈ જશે. નીતિશાસ્ત્રનો ઉદ્દેશ
અધ્યાત્મ અને ધર્મ આચાર તેમજ નૈતિકતા બન્ને સાથે જોડાયેલાં છે. અધ્યાત્મ હશે. ધર્મ હશે તો તેનું આચરણ પણ હશે. સમાજના સંદર્ભમાં તે નૈતિકતા કહેવાશે. વ્યક્તિના સંદર્ભમાં આપણું આચરણ આચાર બની જશે. એકલો એક જ માણસ હોત તો નૈતિકતાની કોઈ જરૂર ન હોત. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ - આ તમામ વ્રતો સામાજિક સંદર્ભમાં છે. જો વ્યક્તિ સમાજ સાથે જોડાયેલી ન હોત તો માત્ર અધ્યાત્મ હોત, માત્ર ચેતના હોત, રાગ અને દ્વેષનો વિલય થઈ ગયો હોત, માત્ર આત્માનુભૂતિ જ હોત. વ્યક્તિ સમાજ સાથે જીવે છે તેથી ઘણા બધા નિયમો બનેલા છે અને એ તમામનો સંબંધ સમાજ સાથે જ છે.
આચારાંગ સૂત્રમાં આચારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જ્યાં આચારનો પ્રશ્ન હશે ત્યાં અધ્યાત્મની વાત પણ આવશે. ધર્મ અને નૈતિકતાની વાત પણ આવશે. સુકરાતે એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો - નીતિશાસ્ત્રનો ઉદ્દેશ શો છે? આ ઉદ્દેશની મીમાંસા કરતાં સુકરાને કહ્યું કે નીતિશાસ્ત્રનો ઉદ્દેશ પરમ શુભ અથવા અંતિમ શુભને પ્રાપ્ત કરવાનો છે. પરમ શુભ એ હોય છે કે જે સ્વયં ઇચ્છનીય હોય, જે કોઈ બીજાની અપેક્ષાએ ન હોય. જે સાધન નથી, પરંતુ સ્વતઃસાધ્ય છે તે છે પરમ શુભ. આચારશાસ્ત્રનો ઉદેશ
જૈન દૃષ્ટિએ આચારશાસ્ત્રનો ઉદ્દેશ છે આત્માની પ્રાપ્તિ. પરમશ્રેયસઃ પ્રાપ્તિઃ ઉદ્દેશ્ય તસ્ય સમ્મતમ્ / . આત્મવ પરમં શ્રેય, આચારણ સ લભ્યતે //
અસ્તિત્વ અને અહિંસા, ૨૧ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org